March 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

  • 1994 બેચના ઓરિસ્‍સા કેડરના પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવરહેલા અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિથી દાનહના ગુંચવાયેલા અનેક વહીવટી પ્રશ્નોનું સમાધાન મળવાની વધેલી સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
ભાજપ હાઈકમાન્‍ડે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશને આપવામાં આવી રહેલા મહત્ત્વના દર્શન કરાવ્‍યા છે. શ્રી અશ્વિની વૈષ્‍ણવની ચૂંટણી પ્રભારી તરીકે કરાયેલી નિયુક્‍તિ પાછળના પણ અનેક સંકેતો હોવાનું દેખાય છે.
શ્રી અશ્વિની વૈષ્‍ણવ 1994 બેચના ઓરિસ્‍સા કેડરના આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ પોતાના આઈ.એ.એસ. તરીકેના કાર્યકાળ દરમિયાન જિલ્લા કલેક્‍ટર તરીકેનો પણ અનુભવ લઈ ચુક્‍યા છે. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ તરીકે પણ કાર્ય કરી ચુક્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી અમલદારશાહી હાવી હોવી સ્‍વાભાવિક છે. તેથી દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રભારી તરીકે પણ પૂર્વ બ્‍યુરોક્રેટ એવા શ્રી અશ્વિની વૈષ્‍ણવને જવાબદારી આપી ભાજપ હાઈકમાન્‍ડ અહીંની અનેક ગુંચવાયેલી સમસ્‍યાના ઉકેલ માટે આગ્રહી હોવાનું પણ દેખાય છે. આમ ભાજપ હાઈકમાન્‍ડે દાદરા નગર હવેલી પ્રત્‍યે રાખવામાં આવી રહેલી પોતાની જવાબદારી અને પ્રેમનાપણ દર્શન કરાવ્‍યા છે.

Related posts

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્‍તારના વોર્ડ નંબર 3માં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા 61મા મુક્‍તિ દિવસની શાનદાર રીતે કરાયેલી ઉજવણી

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

vartmanpravah

Leave a Comment