Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

  • 1994 બેચના ઓરિસ્‍સા કેડરના પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવરહેલા અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિથી દાનહના ગુંચવાયેલા અનેક વહીવટી પ્રશ્નોનું સમાધાન મળવાની વધેલી સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
ભાજપ હાઈકમાન્‍ડે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી માટે પ્રભારી તરીકે કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશને આપવામાં આવી રહેલા મહત્ત્વના દર્શન કરાવ્‍યા છે. શ્રી અશ્વિની વૈષ્‍ણવની ચૂંટણી પ્રભારી તરીકે કરાયેલી નિયુક્‍તિ પાછળના પણ અનેક સંકેતો હોવાનું દેખાય છે.
શ્રી અશ્વિની વૈષ્‍ણવ 1994 બેચના ઓરિસ્‍સા કેડરના આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ પોતાના આઈ.એ.એસ. તરીકેના કાર્યકાળ દરમિયાન જિલ્લા કલેક્‍ટર તરીકેનો પણ અનુભવ લઈ ચુક્‍યા છે. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ તરીકે પણ કાર્ય કરી ચુક્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી અમલદારશાહી હાવી હોવી સ્‍વાભાવિક છે. તેથી દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રભારી તરીકે પણ પૂર્વ બ્‍યુરોક્રેટ એવા શ્રી અશ્વિની વૈષ્‍ણવને જવાબદારી આપી ભાજપ હાઈકમાન્‍ડ અહીંની અનેક ગુંચવાયેલી સમસ્‍યાના ઉકેલ માટે આગ્રહી હોવાનું પણ દેખાય છે. આમ ભાજપ હાઈકમાન્‍ડે દાદરા નગર હવેલી પ્રત્‍યે રાખવામાં આવી રહેલી પોતાની જવાબદારી અને પ્રેમનાપણ દર્શન કરાવ્‍યા છે.

Related posts

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે વિદ્યાર્થીઓ માટે ઓરલ પ્રેઝન્‍ટેશન સ્‍પર્ધા તેમજ જાગૃતિ વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

Leave a Comment