Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩-માં જન્મદિવસ નિમિતે તેમની જન્મ ભૂમિ વડનગરમાં શતમ જીવમ શરદ કવિ સંમેલન યોજાનાર છે.જેમાં ધેજ ગામના ભરડા નિશાળ ફળિયાની શિક્ષિકા ચેતનાબેન કેતનભાઈ પટેલની પસંદગી થતા પરિવાર અને સ્થાનિકોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાવા પામી છે.નવ સર્જન સાહિત્ય મંચ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત કવિતાઓનું રાજ્યના ૭૩-જેટલા કવિઓ દ્વારા પઠન કરવામાં આવશે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવનાર છે.ઉપરાંત ગુજરાતના વિવિધ કવિઓ દ્વારા સર્જન કરાયેલા ૧૦૦-કાવ્ય સંગ્રહનો પણ શુભેચ્છારૂપે ભેટ ધરવામાં આવનાર છે.
ધેજ ભરડા નિશાળ ફળિયાના ચેતનાબેન બીલીમોરા સ્થિત પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.વડનગરમાં કવિ સંમેલનમાં તેમની પસંદગી થતા સ્થાનિક વોર્ડ સભ્ય પારૂલબેન ભીખુભાઇ,કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ,સીઆરસી કેતનભાઈ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ડૉ. મહેન્‍દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્‍થિતિમાં PGVCL ગુજરાતનાં CSR ફંડમાથી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્‍ધિના બાળકો માટે સ્‍કૂલ બસ અર્પણ કરવામાં આવી

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment