(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩-માં જન્મદિવસ નિમિતે તેમની જન્મ ભૂમિ વડનગરમાં શતમ જીવમ શરદ કવિ સંમેલન યોજાનાર છે.જેમાં ધેજ ગામના ભરડા નિશાળ ફળિયાની શિક્ષિકા ચેતનાબેન કેતનભાઈ પટેલની પસંદગી થતા પરિવાર અને સ્થાનિકોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાવા પામી છે.નવ સર્જન સાહિત્ય મંચ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત કવિતાઓનું રાજ્યના ૭૩-જેટલા કવિઓ દ્વારા પઠન કરવામાં આવશે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવનાર છે.ઉપરાંત ગુજરાતના વિવિધ કવિઓ દ્વારા સર્જન કરાયેલા ૧૦૦-કાવ્ય સંગ્રહનો પણ શુભેચ્છારૂપે ભેટ ધરવામાં આવનાર છે.
ધેજ ભરડા નિશાળ ફળિયાના ચેતનાબેન બીલીમોરા સ્થિત પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.વડનગરમાં કવિ સંમેલનમાં તેમની પસંદગી થતા સ્થાનિક વોર્ડ સભ્ય પારૂલબેન ભીખુભાઇ,કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ,સીઆરસી કેતનભાઈ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.