June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.13: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩-માં જન્મદિવસ નિમિતે તેમની જન્મ ભૂમિ વડનગરમાં શતમ જીવમ શરદ કવિ સંમેલન યોજાનાર છે.જેમાં ધેજ ગામના ભરડા નિશાળ ફળિયાની શિક્ષિકા ચેતનાબેન કેતનભાઈ પટેલની પસંદગી થતા પરિવાર અને સ્થાનિકોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાવા પામી છે.નવ સર્જન સાહિત્ય મંચ અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત કવિતાઓનું રાજ્યના ૭૩-જેટલા કવિઓ દ્વારા પઠન કરવામાં આવશે અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવનાર છે.ઉપરાંત ગુજરાતના વિવિધ કવિઓ દ્વારા સર્જન કરાયેલા ૧૦૦-કાવ્ય સંગ્રહનો પણ શુભેચ્છારૂપે ભેટ ધરવામાં આવનાર છે.
ધેજ ભરડા નિશાળ ફળિયાના ચેતનાબેન બીલીમોરા સ્થિત પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.વડનગરમાં કવિ સંમેલનમાં તેમની પસંદગી થતા સ્થાનિક વોર્ડ સભ્ય પારૂલબેન ભીખુભાઇ,કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ,સીઆરસી કેતનભાઈ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં આંતર પોલીટેકનીક કબડ્ડી ટુર્નામેન્‍ટ 2022નું કરાયેલુ આયોજન

vartmanpravah

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

vartmanpravah

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment