April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

  • દાનહ-દમણ-દીવમાં વિધાનસભા ગઠનનું વચનઃ દાનહને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરવા આપેલો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં આજે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર અને તેમની ટીમ દ્વારા લગભગ 36 મુદ્દાને આવરી લેતો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિધાનસભાનું ગઠન, ખાનવેલ પંચાયતને સ્‍વતંત્ર જિલ્લા પંચાયતનો દરજ્‍જો અપાવવો, આદિવાસીઓના તમામ હક્ક અધિકારોની પૂર્તિ માટે સંવિધાનની પાંચમી અને છઠ્ઠીઅનુસૂચિમાં દાદરા નગર હવેલીને સામેલ કરવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્‍યા છે.
વિશ્વ આદિવાસી દિવસે રજા ઘોષિત કરવા, તારપા ઉત્‍સવ ફરીથી શરૂ કરવા જેવા વચનો પણ આપવામાં આવ્‍યા છે. દાનહમાં આદિવાસીઓના ભગવાન શ્રી બિરસા મુંડાની ભવ્‍ય પ્રતિમાની સ્‍થાપના માટે યોજના બનાવવા પણ ઘોષણા પત્રમાં જગ્‍યા આપવામાં આવી છે.
દાનહ પ્રશાસનના વર્ગ-2 અને એનાથી નીચેના તમામ સરકારી કર્મચારીઓ દાદરા નગર હવેલીમાં જ નોકરી પર કાર્યરત રહે એવી વ્‍યવસ્‍થા કરવા તથા દીવ અને દમણ બદલીનો ડર ખતમ કરવા પણ વચન અપાયું છે.
દાદરા, નરોલી અને સામરવરણી પટેલાદોમાં નગરપાલિકા બનાવવા તથા દાનહની તમામ કેન્‍દ્રીય પટેલાદોમાં મહિલા અને બાળ સુરક્ષા માટે રાષ્‍ટ્રીય સ્‍તરનું માળખું ઉભું કરવાનો નિર્ધાર પણ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. પત્રકાર પરિષદને શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, દાનહ શિવસેના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર તેમજ મુંબઈથી આવેલા શિવસેનાના નેતાએ પણ સંબોધી હતી.

Related posts

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

દાનહના મસાટની સરકારી માધ્‍યમિક શાળાના પ્રાંગણમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

Leave a Comment