March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

તમામ વિદ્યાર્થીઓનો અભ્‍યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તમામ વિદ્યાર્થીઓનો અભ્‍યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે.
ચીખલી તાલુકાના કુકેરી સ્‍થિત શાંતાબા વિદ્યાલયમાં સરકારની ગ્રાંટ વિના દાતાઓના સહયોગથી વિનામૂલ્‍યે રહેવા જમવાની સગવડ સાથે ધોરણ-1 થી 12 વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ શાળામાં અનાથ અને સિંગલ પેરેન્‍ટ્‍સ બાળકોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ શાંતાબા વિદ્યાલયના નિટની પરિક્ષામાં સફળતા મેળવી એમબીબીએસમાં 3, બીએએમએસમાં 9 અને બીએચએમએસમાં 2 મળી કુલ 14 જેટલા મેડિકલમાં પ્રવેશ મેળવનાર ભાવિ તબીબોનું સન્‍માન જાણીતા લેખક અને સેવાભાવી ડોકટર શરભાઈ ઠાકરના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ડો.શરદભાઈ ઠાકરે બાળકો સાથેના સંવાદમાં જણાવ્‍યું હતું કે હું મંદિરોમાં ઓછો જાઉં છું પણ આવા શિક્ષણરૂપીમંદિરમાં વારંવાર આવવાનું ગમે છે. પાયાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ત્‍યારબાદ ઉચ્‍ચ શિક્ષણ સુધી બાળકોની ચિંતા કરી તેઓની પડખે રહેતી આ સંસ્‍થાની મુલાકાતથી અનેરો આનંદ થવા પામ્‍યો છે. વાત્‍સલ્‍યધામના બાળકો સાથે રણમાં ખીલ્‍યું ગુલાબ, ડોક્‍ટરની ડાયરી જેવા વિષયો પર સંવાદ કરી પ્રોત્‍સાહિત કર્યા હતા.
સુરતના દાતા જીજ્ઞેશભાઈ અને નિરજભાઈ એન જે ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આકાશ ઈન્‍સ્‍ટિટયૂટ મારફત શાંતાબા વિદ્યાલયના બાળકોને નિટનું સ્‍પેશિયલ કોચિંગ આપવામાં આવ્‍યું હતું. આ તમામ 14-બાળકોનો ખર્ચ મુંબઈના પીયૂષભાઈ કોઠારી જવેલેક્ષ ફાઉન્‍ડેશન તથા અમેરિકાના મનસુખભાઈ અને સુરેશભાઈ કરનાર છે. આભાર વિધિ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી પરિમલ પરમારે કરી હતી.

Related posts

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

વાપી સાતારકર મિત્ર મંડળનો ચોથો વાર્ષિક દશેરા સ્‍નેહ મિલન સમારોહ યોજાયોઃ સમાજના તેજસ્‍વી તારલાઓનું બહુમાન કરાયું

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment