July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

વાપી યુનિટોમાં 207 અને સરીગામમાં 365 મળી કુલ 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપીના ઉદ્યોગપતિ સ્‍વ.એન.આર. અગ્રવાલની 11મી પુણ્‍યતિથિએ વાપી અને સરીગામ યુનિટોમાં રક્‍તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કરી રક્‍તદાન શિબિર સફળ બનાવી હતી.
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા ગાયત્રી શક્‍તિ પેપર બોર્ડ લી. અને એન.આર. અગ્રવાલ ઈન્‍ડસ્‍ટ્રીઝના સૌજન્‍યથી સરીગામ એસ.આઈ.એ. હોલમાં રક્‍તદાન શિબિર યોજાઈ હતી. જેમાં 365 યુનિટ રક્‍તદાન અને વાપી યુનિટમાં 207 યુનિટ રક્‍તદાન મળી કુલ 572 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યુ હતું. રક્‍તદાન શિબિર કાર્યક્રમમાં વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈપટેલએ શિબિરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે એ.એસ.આઈ. એસ. શિવદાસન, પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈ, વી.આઈ.એ.ના હેમાંગ નાયર અને વેલ્‍ફેર કમિટિ પ્રમુખ બી.કે. દાયમા સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સચિવ શમ્‍મીમ રીઝવીએ કર્યુ હતું. રક્‍તદાન શિબિરમાં હરીયા બ્‍લડ બેંક, લાયન્‍સ બ્‍લડ બેંક અને રેડક્રોસ બ્‍લડ બેન્‍કના કર્મચારીઓએ સરાહનીય સેવા આપી હતી. રક્‍તદાન શિબિરમાં ઉત્‍સાહપૂર્વક યુવાન-યુવતીઓએ પ્રથમવાર રક્‍તદાન કર્યું હતું.

Related posts

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

આતુરતાનો અંત! : પારડી નગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment