(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: આજરોજ વાપીના અંબામાતા મંદિર હોલ ખાતે હરિદ્વાર નિવાસી માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના સંત જેઓ અનેક દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર કરી સીધા જ વાપીમાં પધાર્યા હતા. ગુજરાત રાજ્યના પ્રભારી સુરત શાખાના પ્રભારી મહાત્મા અંગીરા બાઈજી સાથે અન્ય સંતો અને વાપી શાખા પ્રભારી મહાત્મા કાત્યાયની બાઈજી તથા અરોગ્યા બાઈજી દ્વારા આત્મ અનુભવી સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાગવત-ભક્તો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક પ્રફુલભાઈ પરમાર છીરી દ્વારા કરવામાં આવ્યું હતું.