-
વાપી-વલસાડમાં નાઈટ કરફયુ લાગવાથી હોટલ વ્યવસાય ઉપર માઠી પડેલી માઠી અસર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23
વલસાડ જિલ્લામાં કોરોનાના બેફામ વધી રહેલા સંક્રમણ બાદ કોરોનાને નિયંત્રિત કરવા માટે સરકારે ગુજરાતના અન્ય શહેરો સાથે વલસાડ-વાપીમાં પણ રાત્રી કરફયુ લગાડી દેવામાં આવ્યો છે. તેથી હોટલ વ્યવસાય ઉપર કરફયુની માઠી અસર પડી છે. રવિવારે વલસાડ સીટી પોલીસમાં પોલીસ અને હોટેલ એસોસિએશનન સાથે મહત્વની મીટીંગ યોજાઈ હતી.
ડીવાયએસપી શ્રી મનોજસિંહ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ હોટેલ એસોસિએશનની મીટીંગમાં પ્રમુખ ઈલીયાસ મલેકે પોલીસને રજૂઆત કરી હતી કે કરફયુમાં હોટેલ ચાલુ રાખવાની 10 વાગ્યાની મર્યાદા છે તે 11 વાગ્યા સુધીની પરમીશન મળે તો સારુ કારણ કે કોરોનામાં બે વર્ષથી હોટેલ વ્યવસાય પડી ભાગ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે સમયમર્યાદા સુધી 75 ટકા ગ્રાહકો સાથે હોટેલ ખુલ્લી રાખી શકાશે તેમજ પાર્સલ ડીલેવરી રાત્રે 11 વાગ્યાસુધી કરી શકાશે તેવી પોલીસે સવલત આપી હતી.