April 24, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘ દૃષ્‍ટિ અને પ્રવાસનલક્ષી નીતિના કારણે રિવરફ્રન્‍ટ ઉપર પાર્કિંગની મોટી સમસ્‍યાનો આવેલો અંત : મુખ્‍ય રસ્‍તા ઉપર આડેધડ પાર્ક થતા વાહનોથી સર્જાતી ટ્રાફિકની સમસ્‍યામાંથી પણ હવે મળશે છુટકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
સંઘપ્રદેશ પ્રશાસને દમણગંગા રિવરફ્રન્‍ટ અને દમણગંગા સર્કિટ હાઉસની સામે વાહન પાર્કિંગની નિઃશુલ્‍ક સુવિધા ઉપલબ્‍ધ કરી પ્રવાસીઓ અને સ્‍થાનિકોની મોટી સમસ્‍યા હલ કરી છે. કારણ કે રિવરફ્રન્‍ટ ઉપરસહેલગાહે આવતા પ્રવાસીઓ અને સ્‍થાનિકો માટે તેમનું વાહન ક્‍યાં પાર્ક કરવું? તે બાબતે ખાસ ચિંતા રહેતી હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રવાસનલક્ષી નીતિના કારણે દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર દમણગંગા સર્કિટ હાઉસ સામે નિઃશુલ્‍ક પાર્કિંગની સુવિધા આમ જનતા માટે ઉપલબ્‍ધ કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનના યોજના અને વિકાસ પ્રાધિકરણ વિભાગ(પીડીએ) દ્વારા દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ પર દમણગંગા સર્કિટ હાઉસ સામે ઉભી કરેલી પાર્કિંગની નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થામાં 64 ફોર વ્‍હીલર ગાડી અને 96 ટુ વહીલર વાહન પાર્ક કરી શકવાની ક્ષમતા છે અને વાહનોની સલામતી માટે સિકયુરિટી ગાર્ડ પણ રાખવામા આવ્‍યો છે. જેના કારણે પર્યટક પોતાના વાહનોની ચિંતા કર્યા વિના રિવરફ્રન્‍ટ પર જઈ ચિંતા વગર સહેલગાહનો આનંદ માણી શકશે.આ સુવિધા સવારે 5.30 વાગ્‍યાથી રાત્રે 10.30 વાગ્‍યા સુધી જનતા માટે ચાલુ રહેશે.
આ સંદર્ભે જનતાને અનુરોધ છે કે આ સુવિધાનો લાભ લે અને એમના વાહનો દમણગંગા રિવરફ્રન્‍ટને લાગેલ સાર્વજનિક સડક પર પાર્ક નહી કરે.

Related posts

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

દાદરામાં આઈશર ટેમ્‍પોએ એક રાહદારી અને એક એક્‍ટિવા ચાલકને અડફેટે લઈ સર્જેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment