March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહત્‍વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ઉપર જનજાગૃતિ ફેલાવાનું કામ શરૂ કર્યું છે.
શનિવારેઆટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પીએમ સૂર્ય ઘર યોજનાની વિશેષતાઓ, લાભ વિશે માહિતી આપી હતી. તેમણે ઉપસ્‍થિત લોકોને પણ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત વિદ્યુત વિભાગના પ્રતિનિધિઓએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત અરજી કરવા, રૂફટોપ અને સબસિડી સહિતના લાભો લેવાની પ્રક્રિયા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશનના માધ્‍યમથી સમજાવી હતી.

Related posts

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

આજથી બોરડી ખાતે ચીકુ ફેસ્‍ટિવલનો થનારો પ્રારંભ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment