February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મહત્‍વાકાંક્ષી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ઉપર જનજાગૃતિ ફેલાવાનું કામ શરૂ કર્યું છે.
શનિવારેઆટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે પીએમ સૂર્ય ઘર યોજનાની વિશેષતાઓ, લાભ વિશે માહિતી આપી હતી. તેમણે ઉપસ્‍થિત લોકોને પણ આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત વિદ્યુત વિભાગના પ્રતિનિધિઓએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત અરજી કરવા, રૂફટોપ અને સબસિડી સહિતના લાભો લેવાની પ્રક્રિયા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશનના માધ્‍યમથી સમજાવી હતી.

Related posts

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

સેલવાસના સચિવાલય અને કલેક્‍ટર કચેરી પરિસરમાં કલમ 144 લાગુ કરાઈ

vartmanpravah

Leave a Comment