Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં લાગણી દુબઈ રહી છે. રાત્રિના સમય દરમિયાન રોડ ઉપર બેસેલા ગૌવંશ વાહન ચાલકોની નજરે ન પડતા આ પ્રકારની ઘટના બનવા પામી રહી છે. જેના ઉપર અંકુશ મુકવા અગ્નીવિર ગૌ સેવા દલના પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ રાજપુરોહિત, શ્રી કમલેશભાઈ પંડિત અને એમની ટીમે રસ્‍તા પર ઊભા રહેતા ઢોરોના ગળામાં રિફલેક્‍ટેડ પટ્ટાપહેરાવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આજરોજ સાંજના 6 કલાકે શ્રી દામોદર યાર્ન કંપની બહાર કંપનીના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ ભાટિયાની હસ્‍તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સમયે એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના શ્રી બી. આર. બેરા, ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર. પી. ડોડિયા, ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી ઉપસ્‍થિત રહી અગ્નિ વીર ગૌસેવા સમિતિના સંચાલકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

દાદરા નગર હવેલી મલયાલી એસોસિએશન દ્વારા ‘ઓણમ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment