October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્‍માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી રિફલેક્‍ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી

સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં લાગણી દુબઈ રહી છે. રાત્રિના સમય દરમિયાન રોડ ઉપર બેસેલા ગૌવંશ વાહન ચાલકોની નજરે ન પડતા આ પ્રકારની ઘટના બનવા પામી રહી છે. જેના ઉપર અંકુશ મુકવા અગ્નીવિર ગૌ સેવા દલના પ્રમુખશ્રી યોગેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ રાજપુરોહિત, શ્રી કમલેશભાઈ પંડિત અને એમની ટીમે રસ્‍તા પર ઊભા રહેતા ઢોરોના ગળામાં રિફલેક્‍ટેડ પટ્ટાપહેરાવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી આજરોજ સાંજના 6 કલાકે શ્રી દામોદર યાર્ન કંપની બહાર કંપનીના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ ભાટિયાની હસ્‍તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સમયે એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડના શ્રી બી. આર. બેરા, ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ શ્રી આર. પી. ડોડિયા, ભાજપ સંગઠનના પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી ઉપસ્‍થિત રહી અગ્નિ વીર ગૌસેવા સમિતિના સંચાલકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment