Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

સંઘપ્રદેશમાં ફિઝીયોથેરાપી, ઓક્‍યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના બેચલર ડિગ્રી માટેની પ્રવેશ પ્રક્રિયાનો પણ આજથી આરંભ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનીશૈક્ષણિક ક્ષેત્રે ઔર એક ઊંચી ઉડાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને અથાક પ્રયાસ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રદેશ પ્રત્‍યેના આશિર્વાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍યક્ષેત્રે શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સના  આરંભ સાથે ફિઝીયોથેરાપી, ઓક્‍યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના સ્‍નાતક સ્‍તરના અભ્‍યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા પણ આવતીકાલથી શરૂ થઈ રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આવતીકાલ તારીખ 21મી નવેમ્‍બરના રોજથી સેલવાસની શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સના આરંભ સાથે બેચરલ ઓફ ફિઝીયોથેરાપી, બેચરલ ઓફ ઓક્‍યુપેશનલ અને બેચરલ ઓફ સાયન્‍સ ઈન રેડિયોલોજી એન્‍ડ ઈમેજીંગ ટેકનોલોજીના અભ્‍યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ ત્રણેય પ્રત્‍યેક કોર્ષમાં 20 બેઠકોની અનુમતી યુનિવર્સિટી અને સરકાર દ્વારા આપવામાં આવી છે. હવે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ ફિઝીયોથેરાપી, ઓક્‍યુપેશનલ અને રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના અભ્‍યાસક્રમના આરંભ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઔર એક ગૌરવપ્રદ છલાંગ લગાવી છે.
સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે. દાસના જણાવ્‍યા પ્રમાણેદાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સ શરૂ થવા સાથે સાડા ચાર વર્ષના ડિગ્રી કોર્ષ બેચરલ ઓફ ફિઝીયોથેરાપી, બેચરલ ઓફ ઓક્‍યુપેશનલ અને બેચરલ ઓફ સાયન્‍સ ઈન રેડિયોલોજી અને ઈમેજીંગ ટેકનોલોજીના અભ્‍યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો પણ આરંભ થઈ રહ્યો છે. જે બદલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ હંમેશના માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઋણી રહેશે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે એફિલિએટેડ આ શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સમાં ઉપરોક્‍ત ત્રણેય કોર્ષનો આરંભ વર્તમાન શૈક્ષણિક વર્ષથી થઈ રહ્યો છે.

Related posts

દિવાળી તહેવારના માહોલ ટાણે સેલવાસના બજારમાં વેચાતી મિઠાઈઓ સહિતની ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરવા કૌશિલ શાહની કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ મતગણતરી મથકો ઉપર પરોઢ સુધી મતગણતરી ચાલી

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

Leave a Comment