Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

કેન્‍દ્ર શાળા નરોલી અંગ્રેજી માધ્‍યમની 123 વિદ્યાર્થીનીઓએ લીધેલો ભાગઃ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ પોતાના ધ્‍યેયને હાંસલ કરવા પણ પ્રેરિત થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
સંઘપ્રદેશના સમગ્ર શિક્ષા અને પ્રાથમિક શિક્ષણ વિભાગ- દાનહ દ્વારા કેન્‍દ્ર સારા નરોલી અંગ્રેજી માધ્‍યમ ખાતે વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાની ઉચ્‍ચ પ્રાથમિક વિભાગની 123 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં બ્‍લોક રિસોર્સ પર્સન(બીઆરપી) સુશ્રી નિકિતા દાગાએ વિદ્યાર્થીનીઓને જીવન જીવવા માટે જરૂરી જીવન કૌશલ્‍ય, જીવનમાં ધ્‍યેયનું મહત્‍વ, પોતાનું ધ્‍યેય કઈ રીતે નક્કી કરવું, ધ્‍યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને કઈ રીતે ઓળંગવા, સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ કઈ રીતે બનાવવું જેવા મુદ્દાઓ ઉપર રસાળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ પોતાનો ધ્‍યેય નક્કી કરી દરેક સાથેપોતાના ધ્‍યેયને અને એને પામવાની પોતાની તૈયારીઓના આયોજન વિશે પરસ્‍પર સંવાદ કર્યો હતો. પોતાના મનમાં ઉદ્‌ભવતા પ્રશ્નો પૂછી પોતાની સમજ પણ વિકસાવી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધ્‍યેયને નક્કી કરી એને પામવા માટે આત્‍મવિશ્વાસથી આગળ કઈ રીતે વધવું તેની શિખામણ મેળવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદની પહેલથી અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના દિશા-નિર્દેશ હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેને સફળ બનાવવામાં સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારીની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
આ કાર્યક્રમને તૈયાર કરવામાં બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્લારખા એસ. વોહરા, નરોલી અંગ્રેજી માધ્‍યમના આચાર્યા સુશ્રી અનિષા ખલીફાનું યોગદાન રહ્યું હતું અને સેલવાસ બ્‍લોકમાં કાર્યરત તમામ સીઆરસી કો-ઓર્ડિનેટર, બીઆરપી અને શાળાના શિક્ષકગણોએ રચનાત્‍મક સહયોગ આપ્‍યો હતો.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

Leave a Comment