Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

લોકપ્રિય લોકકલાકાર કિર્તિદાન ગઢવી અને વનિતા પટેલના ડાયરામાં હજારોની જનમેદની ઉમટી પડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જુજવાના મેદાનમાં શનિવારે રાત્રે અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગૌધનની રક્ષા-સુરક્ષા અને સારવાર માટે લોકસંગીત ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ડાયરામાં ગૌપ્રેમી જાહેર જનતા હજારોની સંખ્‍યામાં ઉમટી પડી હતી. તેમજ રીતસરનો ચલણી નોટોનો વરસાદ વરસાવ્‍યો હતો.
વલસાડ અગ્નિવીર ગૌરક્ષક દળ મુંગા પશુઓના રક્ષણ માટે વર્ષોથી કાર્યરત છે. ગાયોની સેવા સારવાર અને સુરક્ષા માટે ગૌરક્ષક દળ દ્વારા શનિવારે લોકસંગીત ડાયરાનું જુજવા મેદાનમાં આયોજન કર્યું હતું. લોકપ્રિય લોક કલાકાર કિર્તિદાન ગઢવી અને વનિતાબેન પટેલએ લોકસંગીતની રમઝટ બોલાવી દીધી હતી. ઉપસ્‍થિત હજારોની જનમેદની ઝુમી હતી. ડાયરામાં દાનની સરવાણી રેલાવી આરંભાઈ પછી તો રીતસર ચલણી નોટોનો જાણે વરસાદ પડતો હોય તેમ સ્‍ટેજ નોટોથી છલકાઈ ગયો હતો. ડાયરામાં ઉપસ્‍થિત કિન્નરોએ પણ સારી એવી મદદ કરી લોકચાહના મેળવી હતી.

Related posts

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

સેલવાસ કલા કેન્‍દ્ર ખાતે એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ માટે બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજીની તૈયારી હેઠળ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

Leave a Comment