Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વલસાડમાં આવેલ પારડી પાર નદીના નાના પુલ પરથી વાપી ચલા ખાતે રહેતા અને વલસાડ વાસુદેવ એપાર્ટમેન્‍ટ, કૈલાશ રોડ, પ્રમુખ નગરનો આધારકાર્ડ ધરાવતા સાગર રાઘવભાઈ ગુર્જર ઉંમર વર્ષ આશરે 27 ના યુવાનેપોતાની મોંઘી ઘાટ જીપ કંપાસ ગાડી નંબર જીજે 15 સીએમ 1011 ને પુરપાટ ઝડપે હંકારી નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ ને તોડી પોતાની જીપ પાર નદીમાં ઝંપલાવી હતી. પાર નદી પર હાજર સિકયુરિટી એ આ અંગેની જાણ પારડી ચંદ્રપુર સ્‍થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનોને કરાતા તાત્‍કાલિક ચંદ્રપૂરના યુવાનો પોતાની હોળી (બોટ) લઈ નદીમાં ઝંપલાવી આ યુવાનને બચાવવાના ભારે પ્રયત્‍ન આદર્યા હતા પરંતુ યુવાનને બચાવી શકયા ન હતા. અંતે ક્રેન દ્વારા ગાડી બહાર કાઢી જોતા યુવાન મોતને ભેટયો હતો.
મળતી માહિતી મુજબ આ યુવાન બપોરના સમયે આશરે 1:30 કલાકે પાર નદીના નાના પુલ પાસે પોતાની ગાડી પાર્ક કરી કલાકો સુધી મોબાઈલ પર વાત કર્યા બાદ આશરે 3:30 કલાકે ત્‍યાંથી નીકળી ગયો હતો પરંતુ ત્‍યારબાદ 20 થી 25 મિનિટ પછી ફરી પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી લાવી અને નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ તોડી પાર નદીમાં પોતાની ગાડી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
લોકચર્ચા મુજબ પોતાના બિલ્‍ડરના ધંધામાં પણ સફળ હોય અને અન્‍ય પણ કોઈ પ્રોબ્‍લેમ ન હોવા છતાં આ યુવાને શા માટે આ પગલું ભર્યું તે એક રહસ્‍ય છે. 108 અને વલસાડ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી યુવાનની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ વલસાડ પોલીસે હાથધરી છે. આ તપાસ દરમિયાન જ સાચું કારણ બહાર આવશે.

Related posts

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

થેલેસેમિયાથી પીડાતી વલસાડની ૧૦ વર્ષીય બાળકીનો જીવ બચાવવા ૧૩ વર્ષીય મોટી બહેન ડોનર બનતા બોન મેરો ટ્રાન્સ્પલાન્ટ કરાયુ

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment