November 30, 2025
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વલસાડમાં આવેલ પારડી પાર નદીના નાના પુલ પરથી વાપી ચલા ખાતે રહેતા અને વલસાડ વાસુદેવ એપાર્ટમેન્‍ટ, કૈલાશ રોડ, પ્રમુખ નગરનો આધારકાર્ડ ધરાવતા સાગર રાઘવભાઈ ગુર્જર ઉંમર વર્ષ આશરે 27 ના યુવાનેપોતાની મોંઘી ઘાટ જીપ કંપાસ ગાડી નંબર જીજે 15 સીએમ 1011 ને પુરપાટ ઝડપે હંકારી નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ ને તોડી પોતાની જીપ પાર નદીમાં ઝંપલાવી હતી. પાર નદી પર હાજર સિકયુરિટી એ આ અંગેની જાણ પારડી ચંદ્રપુર સ્‍થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનોને કરાતા તાત્‍કાલિક ચંદ્રપૂરના યુવાનો પોતાની હોળી (બોટ) લઈ નદીમાં ઝંપલાવી આ યુવાનને બચાવવાના ભારે પ્રયત્‍ન આદર્યા હતા પરંતુ યુવાનને બચાવી શકયા ન હતા. અંતે ક્રેન દ્વારા ગાડી બહાર કાઢી જોતા યુવાન મોતને ભેટયો હતો.
મળતી માહિતી મુજબ આ યુવાન બપોરના સમયે આશરે 1:30 કલાકે પાર નદીના નાના પુલ પાસે પોતાની ગાડી પાર્ક કરી કલાકો સુધી મોબાઈલ પર વાત કર્યા બાદ આશરે 3:30 કલાકે ત્‍યાંથી નીકળી ગયો હતો પરંતુ ત્‍યારબાદ 20 થી 25 મિનિટ પછી ફરી પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી લાવી અને નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ તોડી પાર નદીમાં પોતાની ગાડી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
લોકચર્ચા મુજબ પોતાના બિલ્‍ડરના ધંધામાં પણ સફળ હોય અને અન્‍ય પણ કોઈ પ્રોબ્‍લેમ ન હોવા છતાં આ યુવાને શા માટે આ પગલું ભર્યું તે એક રહસ્‍ય છે. 108 અને વલસાડ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી યુવાનની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ વલસાડ પોલીસે હાથધરી છે. આ તપાસ દરમિયાન જ સાચું કારણ બહાર આવશે.

Related posts

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

Leave a Comment