Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા સોમવારના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જે સંદર્ભે રવિવારના રોજ 11.00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા.
સોમવારે સવારેમહાયજ્ઞના આયોજન બાદ મંદિરમા તડકેશ્વર મહાદેવ શિવલિંગ ભગવાન શ્રી રામ-લક્ષમણ અને સીતા માતા,રાધા કળષ્‍ણ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી હતી. આ પૂજા યજ્ઞમાં દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત મહાનુભાવોએ લાભ લીધો હતો. બાદમાં ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.
આ અવસરે દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી દિગ્‍વીજયસિંહ પરમાર સહિત પ્રદેશના ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

Leave a Comment