December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા સોમવારના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જે સંદર્ભે રવિવારના રોજ 11.00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા.
સોમવારે સવારેમહાયજ્ઞના આયોજન બાદ મંદિરમા તડકેશ્વર મહાદેવ શિવલિંગ ભગવાન શ્રી રામ-લક્ષમણ અને સીતા માતા,રાધા કળષ્‍ણ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી હતી. આ પૂજા યજ્ઞમાં દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત મહાનુભાવોએ લાભ લીધો હતો. બાદમાં ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.
આ અવસરે દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી દિગ્‍વીજયસિંહ પરમાર સહિત પ્રદેશના ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્ટ LAKSHYA 2K23માં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના ઇનોવેશન હબની ટીમ રોબો રેસ સ્પર્ધામાં વિજેતા

vartmanpravah

Leave a Comment