December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્‍ટરને મણિપુરમાં અત્‍યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્‍યાય અપાવવા માટે અરજ કરી હતી.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં શ્રી ભાવિક હળપતિ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ધીરૂભાઈ ધોડી સહિત આગેવાનો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્‍યુંહતું કે, મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આજે 40 દિવસ પુરા થવા છતાં મણિપુર સળગી રહ્યું છે જેના કારણે આક્રોશ છે. રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રીને દમણ કલેક્‍ટરાલયના માધ્‍યમથી આવેદનપત્ર આપી દોષિઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

Related posts

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

ટાંકલમાં સુરતથી ચિકન ખાવા આવેલ શખ્‍સને જૂની અદાવતે ઢીબી નાખ્‍યોઃ સુરતના 4 સામે ગુનો નોંધાયો

vartmanpravah

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

Leave a Comment