(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને મણિપુરમાં અત્યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્યાય અપાવવા માટે અરજ કરી હતી.
દમણના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં શ્રી ભાવિક હળપતિ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી, દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધીરૂભાઈ ધોડી સહિત આગેવાનો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્યુંહતું કે, મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આજે 40 દિવસ પુરા થવા છતાં મણિપુર સળગી રહ્યું છે જેના કારણે આક્રોશ છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રીને દમણ કલેક્ટરાલયના માધ્યમથી આવેદનપત્ર આપી દોષિઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.
Previous post