February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિધાર્થીઓમાં પરિક્ષાનો ડર મનમાં ઘર કરતો જાય છે. પરિક્ષાને લગતી તમામ બાબતો આવરી લેતો સેમીનાર તારીખ 30 નવેમ્બર શનિવારે નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે નવસારીનાં પ્રતિષ્ઠિત શિક્ષક ,મોટિવેશનલ સ્પીકર ,શોર્ટ ફિલ્મ મેકર તેમજ ઉમદા તેમજ સહજ વ્યક્તિત્વ ધરાવનાર ચિરાગ ભટ્ટ સર દ્વારા લેવામાં આવ્યો હતો.પરીક્ષા માટેની તૈયારી કઇ રીતે કરવી, અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના ડરને ભગાડવા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. મુંઝાયેલા વિદ્યાર્થીઓને જો યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તો એનો વિધાર્થીઓ પર ખૂબ સારો પડતો હોય છે.આ સેમિનારનો લાભ ધોરણ 9 થી 12 નાં 135 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.બાળકોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.સેમિનારમાં છાત્રાલયના ટ્રસ્ટી શ્રીમતી મીનાક્ષી કરમરકર તેમજ શિક્ષકગણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યાં હતાં. ચિરાગ ભટ્ટ સરે સેશનની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આનંદ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિરૂદ્ધ અભદ્ર ટિપ્‍પણી કરવાવાળા કોંગ્રેસ પ્રવક્‍તા પવન ખેડા વિરૂદ્ધ દમણ જિ.પં. સભ્‍ય રીના પટેલે દમણ પોલીસને કરેલી ફરિયાદ

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

Leave a Comment