સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા રૂા. 1પ7.31 કરોડના અંદાજીત ખર્ચથી 100 ટકા ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી મંત્રાલયની મત્સ્ય સંપદા યોજનાની સહાયથી દીવ અને વણાંકબારામાં અદ્યતન ફિશિંગ હાર્બરનું થનારૂં નિર્માણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.22: કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે બોલાવેલી સંસદીય કન્સલટેટિવ કમિટિની બેઠકમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલેસંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વણાંકબારા અને દીવ ખાતે અદ્યતન ફિશિંગ હાર્બર ડેવલપ કરવાનું આયોજન હાથ ધર્યું હોવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રૂા. 1પ7.31 કરોડના અંદાજીત ખર્ચથી પ્રસ્તાવિત વણાંકબરા અને દીવના અદ્યતન ફિશિંગ હાર્બર માટે 100 ટકા સહાય ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરી મંત્રાલયની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત કરવામાં આવશે. આ રકમ વણાંકબારા અને દીવ સમુદ્રના ડ્રેજિંગ માટે વાપરવામાં આવશે.
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કચીગામ કોઝવેથી નદીના મુખ સુધીની બંને તરફ સાફ સફાઈ કરી દાદરા નગર હવેલીની તર્જ ઉપર રિવરફ્રન્ટ બનાવવા પણ પોતાની રજૂઆત કરી હતી.