April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાની સફળ રજૂઆતનું પરિણામઃ સંઘપ્રદેશ પ્રશાસનના માનવીય અને સંવેદનશીલ અભિગમથી 60 પરિવારોના ચહેરા ઉપર ઝળકેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ જિલ્લા પંચાયતના વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય શ્રી સદાનંદ એમ. મિટનાની સફળ રજૂઆત અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માનવીય અને સંવેદનશીલ અભિગમથી મેલેરિયા વિભાગમાંથી છૂટા કરાયેલા 60 જેટલા કર્મચારીઓને જિલ્લા પંચાયતમાં સમાવવાનો નિર્ણય લેવાતા કર્મચારીઓ અને તેમના પરિવારમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. દમણ જિ.પં.ના વરકુંડ વિભાગના સભ્‍ય શ્રી સદાનંદ મિટનાએ ગરીબલક્ષી સંવેદનશીલ નિર્ણય લેવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો દિલથી જાહેર આભાર પણ પ્રગટ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 1લી સપ્‍ટેમ્‍બર 2023મી થી મેલેરિયા વિભાગમાં ડેઈલી વેજીસ તરીકે કામ કરતા 60 જેટલા કર્મચારીઓને સાગમટે છૂટા કરાયા હતા. જેના કારણે તેમની સ્‍થિતિ ખૂબ જ વિકટ બની હતી. પરંતુ દમણ જિલ્લા પંચાયતના વરકુંડ વિભાગના સભ્‍ય શ્રી સદાનંદ મિટનાએ 10મીનવેમ્‍બરે જિલ્લા પંચાયતની મળેલ સામાન્‍ય સભામાં જિ.પં. પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી રાહુલ ભીમરાની ઉપસ્‍થિતિમાં મેલેરિયા કર્મીઓને છૂટા કરવાનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. જિ.પં. સભ્‍યશ્રી સદાનંદ મિટનાએ આપેલા કલેક્‍ટરશ્રીને 29મી સપ્‍ટેમ્‍બરના રોજ પત્ર લખી દરમિયાનગીરી કરવા રજૂઆત કરી હતી.
છેવટે સંઘપ્રદેશ પ્રશાસને તા.21મી ડિસેમ્‍બરે તમામ 60 કર્મચારીઓને કોન્‍ટ્રાક્‍ટ હેઠળ લેવાનો આદેશ કરતા તમામે પોતાની નોકરી પણ જોઈન કરતા જિ.પં. સભ્‍ય શ્રી સદાનંદ મિટનાએ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તથા પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો છે.

Related posts

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત સ્‍પર્ધા-2023 દિલ્‍હી અને ગ્‍વાલિયર ખાતે યોજાયેલ અંડર-19 બેડમિન્‍ટન રમતમાં સંઘપ્રદેશના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

vartmanpravah

Leave a Comment