Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને સંઘપ્રદેશના નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં દાનહના કિલવણી પંચાયતના દરેક ગામ કિલવણી અને સિલીમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રશાસનનાઅધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ શિબિરમાં અધિકારીઓ દ્વારા ગ્રામજનોની સ્‍થાનિક સમસ્‍યા સાંભળવામાં આવી હતી અને સમય સીમામાં તેના સમાધાન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
જનતાની સમસ્‍યાને ધ્‍યાનમાં રાખી એના નિવારણ હેતુ કિલવણી પંચાયતના ગ્રામીણ વિસ્‍તારના રાશનકાર્ડ, વિવિધ આવશ્‍યક દાખલા, પેંશન, વીજળી કનેક્‍શન વગેરે માટે વિશેષ કેમ્‍પ લગાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા અને પંચાયતની વિવિધ સમસ્‍યાને વહેલામાં વહેલી હલ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર હોવાનું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું.
આ અવસરે દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અરુણ ગુપ્તા, ડી.પી.ઓ. શ્રી પંકજસિંહ પરમાર, મામલતદાર શ્રી સાગર ઠક્કર, વિવિધ વિભાગના પ્રશાસનિક અધિકારીઓ, પ્રદેશના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત અરજદાર ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

રાષ્‍ટ્રીય પોષણ માહ અંતર્ગત દીવમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને સ્‍તનપાન અંગેની તાલીમ અપાઈ

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment