Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02
ચીખલી તાલુકા સહિતના સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા નવસારી જિલ્લા દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવાયું છે કે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમ્‍યાન સમસ્‍ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેન દીકરીઓ વિષે પ્રવચનકરેલ છે. જેનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં ફરી રહ્યો છે. ક્ષત્રિય ગીરાસદર સમાજ વિષે અપમાનજનક ટિપ્‍પણી કરેલ છે. જેના લીધે સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્‍યે રોષની લાગણી ફેલાયેલ છે.
ગુજરાત અને સમસ્‍ત ભારતભરના ક્ષત્રિય સમાજમાંથી 80-ટકા મતદાર ભાજપ તરફથી જ રહેતા હોય છે. રાજપૂત સમાજ હિન્‍દૂ અને કોઈપણ બહેન દીકરીઓની ઈજ્જત અને લાજ બચાવવા શહીદ થયાના હજ્‍જારો ઉદાહરણ છે. ત્‍યારે રાજપૂત સમાજની બહેન-દીકરીઓ વિષે આભદુ વાપરવી ઉચિત નથી.
સમસ્‍ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કલેકટરના માધ્‍યમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને સી. આર. પાટીલને પણ આ અંગે જવાબદાર એવા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની લોકસભાના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
રાજપૂત સમાજની માંગણીની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામાં આવશે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજનું ભાજપ વિરૂધ્‍ધમાં મતદાન થાય તેવા પ્રયત્‍નો કરાશે તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.
વધુમાં પુરુષોત્તમ રૂપાલા ઉપર આવા અપમાનજનક ભાષા વાપરવા બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ધર્મેન્‍દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાંઆવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

Related posts

કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ વલસાડ દ્વારા નવા વર્ષની ઉજવણી અને રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું

vartmanpravah

દમણ જિ. પં.નાં પ્રમુખ બાબુભાઈ પટેલે આધાર-કાર્ડ બનાવવાના ફૉર્મમાં જિ.પં. પ્રમુખ તથા સભ્‍યોને પણ નાગરિકોનાં વેરિફિકેશનની સત્તા આપવા કરેલી માંગણી

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment