April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સગાં-સંબંધીઓમાં ઓળખાણ બની રહે તે માટેનો સ્તુત્ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ-ડુંગરી ફળિયા ખાતે મામા-માસીના પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક કુટુંબોએ એકબીજા સાથે મુલાકાત કરી ઓળખાણ કરી હતી. મામા-માસીના છોકરાઓના કુટુંબીજનો અને વડીલોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલ રમતો અને ડાન્સના રંગારંગ કાર્યક્રમમાં સૌએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. આ કાર્યક્રમ થકી -સંબંધીઓ વચ્ચે ઓળખાણ બની રહે સૌ એકબીજાને મળે ઓળખે તેમના વિષે જાણે તેવા શુભ હેતુ માટે આયોજિત કાર્યક્રમમાં સંબંધો જાળવી રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે એકબીજાને રૂબરૂ મળવાનું ખૂબ જ ઓછું થઇ ગયું છે. લગ્ન, સગાઇ જેવા પ્રસંગોએ જ રૂબરૂ મળવાનું થતું હોય ત્યારે સરખી રીતે મુલાકાતો અને વાતચીત પણ થતી નથી આજના યુવાઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મોટાભાગનો સમય પસાર કરતા રહે છે, મિત્રો બનાવે છે, પરંતુ રૂબરૂ તો ભાગ્યેજ મળે છે. જેથી સગાં-સંબંધીઓના છોકરાંઓ એકબીજાને કદાચ ઓળખતા પણ નથી. તેવા સંજોગોમાં દરેક પરિવારો આ પ્રકારના કાર્યક્રમો યોજી એકબીજા સાથેના સંબંધો જાળવી રાખે તેવો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.

Related posts

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

Leave a Comment