Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સગાં-સંબંધીઓમાં ઓળખાણ બની રહે તે માટેનો સ્તુત્ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ-ડુંગરી ફળિયા ખાતે મામા-માસીના પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક કુટુંબોએ એકબીજા સાથે મુલાકાત કરી ઓળખાણ કરી હતી. મામા-માસીના છોકરાઓના કુટુંબીજનો અને વડીલોને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યોજાયેલ રમતો અને ડાન્સના રંગારંગ કાર્યક્રમમાં સૌએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો. આ કાર્યક્રમ થકી -સંબંધીઓ વચ્ચે ઓળખાણ બની રહે સૌ એકબીજાને મળે ઓળખે તેમના વિષે જાણે તેવા શુભ હેતુ માટે આયોજિત કાર્યક્રમમાં સંબંધો જાળવી રાખવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.
આજના મોબાઇલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે એકબીજાને રૂબરૂ મળવાનું ખૂબ જ ઓછું થઇ ગયું છે. લગ્ન, સગાઇ જેવા પ્રસંગોએ જ રૂબરૂ મળવાનું થતું હોય ત્યારે સરખી રીતે મુલાકાતો અને વાતચીત પણ થતી નથી આજના યુવાઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર મોટાભાગનો સમય પસાર કરતા રહે છે, મિત્રો બનાવે છે, પરંતુ રૂબરૂ તો ભાગ્યેજ મળે છે. જેથી સગાં-સંબંધીઓના છોકરાંઓ એકબીજાને કદાચ ઓળખતા પણ નથી. તેવા સંજોગોમાં દરેક પરિવારો આ પ્રકારના કાર્યક્રમો યોજી એકબીજા સાથેના સંબંધો જાળવી રાખે તેવો પ્રયાસ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો.

Related posts

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

vartmanpravah

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment