મરણપથારીઍ પડેલા ધંધાને નવજીવન આપવા અગામી તહેવારો દરમિયાન મર્યાદિત રીતે કોવિડ-૧૯ના પ્રોટોકોલના પાલન સાથે ડીજે અને ઓરકેસ્ટ્રા સંચાલકોને મંજૂરી આપવા વ્યાપક બનેલી લોકલાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બેરોજગાર બનેલા અોરકેસ્ટ્રા અને ડીજેના સંચાલકોઍ આજે દમણના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસને મળી હવે પ્રદેશમાં કોરોના મહામારી અંકુશમાં આવી હોવાથી ઓરકેસ્ટ્રા અને ડીજે માટે પરવાનગી આપવા માંગ કરી છે.
છેલ્લા દોઢ વર્ષથી લગ્ન, તહેવાર, સાંસ્કૃતિક અને રાજકીય ગતિવિધિ ઉપર પણ લાગેલી રોકના કારણે દમણમાં ઓરકેસ્ટ્રા અને ડી.જે.ના ધંધાને મરણતોલ ફટકો પડ્યો છે અને હવે વધુ રાહ જાઈ શકાય ઍવી સ્થિતિ નહીં હોવાથી જિલ્લા કલેક્ટરને પરવાનગી આપવા દરમિયાનગીરી માટે આજે રજૂઆત કરી હતી.
અત્રે નોîધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી કાર્યક્ષમ નીતિના કારણે પ્રદેશમાં કોરોના મહામારી અંકુશમાં આવી છે. ત્યારે મર્યાદિત ધોરણે કોવિડ-૧૯ના પ્રોટોકોલ સાથે ઓરકેસ્ટ્રા અને ડી.જે. માટે અગામી આવી રહેલા તહેવારોમાં પરવાનગી આપવામાં આવે તેવી લોકલાગણી પણ વ્યક્ત થઈ રહી છે.