July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્‍વામીએ આપેલુંમનનીય વક્‍તવ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડમાં શ્રીરામ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રંસંગે સલવાવ ગુરૂકુળના પરમપૂજ્‍ય કપિલ સ્‍વામીજી મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સલવાવ ગુરૂકુળના પ.પૂ. કપિલ સ્‍વામીજીએ પોતાની ઓજસ્‍વી વાણીમાં સામાજિક સમરસતા અને શ્રીરામની બાબતમાં મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

Leave a Comment