April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ

જિલ્લાના વિવિધ સોશિયલ મિડિયા ઈન્‍ફલુએન્‍ઝરોને વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 સંદર્ભે 26-વલસાડ બેઠક પર આગામી તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે વલસાડ જિલ્લામાં દરેક મતદાતા પોતાનો મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે વલસાડ જિલ્લાના સોશિયલ મિડિયા ઈન્‍ફલુએન્‍ઝરો સાથે જિલ્લા ટર્ન આઉટ ઈમ્‍પ્‍લિટેશન પ્‍લાનના નોડલ અધિકારીશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર મિટ યોજાઈ હતી.
ઈન્‍ફલુએન્‍ઝર મિટમાં સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરોને લોકસભા સામાન્‍ય ચૂંટણી- 2024 અંતર્ગત મતદાતાઓને પાંચ મુદ્દાની વાત અંગે જાગૃતિ ફેલાવવા આપીલ કરવામાં આવી હતી. આ પાંચ મુદાઓ જેવા કે, મતદાતાઓએ મતદાર યાદીમાં પોતાનું નામ કેવી રીતે શોખવું, કયા મતદાન મથક (બૂથ) પર મતદાન કરવું, કયા કયા પુરાવાઓ (આઈડી કાર્ડ)થી મતદાન થઈ શકે છે તેમજ મતદાનની તારીખ અને સમય વિશેલોકોને સોશિયલ મીડિયા માધ્‍યમ મારફતે માહિતગાર કરવા જણાવાયું હતું. સાથે સાથે લોકોને શું મતદાનના દિવસે સવેતન જાહેર રજા હોઈ શકે? એવો પ્રશ્ન હોય તો ગુજરાત સરકાર તરફથી દરેક ક્ષેત્રે સવેતન રજા જાહેર કરવામાં આવી છે એવી જેથી દરેક કામદાર – કર્મચારીઓ મતદાન કરી શકે છે એમ જણાવ્‍યું હતું. દરેક સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરો પોતપોતાના સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ મારફતે લોકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી જિલ્લામાં વોટર ટર્ન આઉટ વધારવામાં સહયોગ આપે એવી અપીલ કરવામાં આવી હતી.
ઈન્‍ફલુએન્‍ઝર મિટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, પ્રોબેશનરી આઈએએસ અને જિલ્લાના વિવિધ સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍ઝરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah

Leave a Comment