Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોના મળતક પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની કરાયેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.03
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા કોવિડ-19 અંતર્ગત ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ પ્રમાણે કોરોના મળતક પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલ, ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા ભીખુભાઇ, કોંગ્રેસ અગ્રણી શ્રી નરેશ વલસાડીયા, શ્રી એ.ડી.પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી જયંતીભાઈ, સરપંચો સહિતનાની ઉપસ્‍થિતિમાં ન્‍યાયયાત્રા યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્‍યું હતું. જેમાં જણાવ્‍યું છે કે હાલના કટોકટી ભર્યા સમયમાં કોવિડ-19 મહામારી સરકારે ગુનાહિત બેદરકારી અને અણધડ વહીવટ દ્વારા હોસ્‍પિટલમાંબેડ, દવાઓ, ઇન્‍જેક્‍શન, ઓક્‍સિજન, વેન્‍ટિલેટરના અભાવે ગુજરાતના ત્રણ લાખ કરતાથી વધુ લોકોના મળત્‍યુ થયા હતા.
ખાનગી હોસ્‍પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી સામાન્‍ય અને મધ્‍યમ પરિવારના લોકોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્‍યો. પશુ અને મનુષ્‍ય માટે 50,000/- વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસવેદન શીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે.
સરકાર મોતના આંકડા છુપાવવાની રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મળતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિધ્‍ધ કરતી નથી. કોરોના મહામારીમાં મળત્‍યુ પામેલા પરિવારજનોને અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ થવાના હેતુથી ન્‍યાયયાત્રા યોજવામાં આવી રહી છે.
કોંગ્રેસ દ્વારા કોવિડ-19થી અવસાન પામેલ દરેક મળતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવિડગ્રસ્‍ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બીલની રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્‍ફળતાની ન્‍યાયિક તપાસ, કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન / પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્‍તોને મદદરૂપ થવાનો ન્‍યાયયાત્રાનો મુખ્‍ય હેતુ હોવાનું જણાવાયું છે.
ડિઝાસ્‍ટરમેનેજમેન્‍ટ એક્‍ટ અંતગર્ટ કુદરતી આપદા સમયે રાહત / સહાયના ચાર લાખ રૂપિયા ચૂકવવા પૈસા નથી. પરંતુ બુલેટ ટ્રેન / સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજેકટ ઉધોગપતિઓના દેવા માફી, એરોપ્‍લેન-હેલિકોપટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. કોંગ્રેસની ન્‍યાયયાત્રામાં તાલુકાભરના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક સરકારી શાળાના વિદ્યાર્થીઓ બન્‍યા બેફામ : સ્‍કૂલ છુટવાના સમયે રોડ પર મારામારીના બનેલા બનાવો : શાળા છુટવાના સમયે પોલીસ બંદોબસ્‍ત રાખવો જરૂરી

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

Leave a Comment