(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 07 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 5920 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 126 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 35 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટર અને પ્રદેશની શાળાઓમા 15થી17વર્ષના બાળકોનું કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યું હતું. જેમાં આજે 6563 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 412593 અને બીજો ડોઝ 284974 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ 697567 લોકોને વેક્સીન આપવામા આવીછે.