April 19, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પોલીસે સાયલી ગામેથી બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નારકોસ અંતર્ગત બે કિલો ગાંજા સાથે ત્રણ આરોપીઓને ગિરફ્‌તાર કરવામા આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીના નિર્દેશ અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનના માર્ગદર્શનમાં સાયલી વિસ્‍તારમાથી અંદાજીત બે કિલો ગાંજો જપ્ત કરી એમા સામેલ ત્રણ લોકો વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી આરોપી (1) આસિફ ફિરોઝ શેખ, રહેવાસી ડુંગરપાડા સાયલી,(ર) રજનીશ બનારસી પ્રસાદ ગુપ્તા રહેવાસી રખોલી અને (3) દિપક સુનિલ ખરવાર રહેવાસી પ્રમુખ વિહાર ગેટ ઉલ્‍ટન ફળીયા સેલવાસ મૂળ રહેવાસી યુપી.જેઓ સાથે એવા વ્‍યક્‍તિઓને પણ હિરાસતમા લેવામા આવ્‍યા છે. જેઓ નશીલી દવાઓ અથવા મન પ્રભાવી પદાર્થોનુ સેવન કરે છે તેઓનું કાઉન્‍સિલિંગ કરવામા આવે છે અને પછી એમના માતાપિતાને અથવા તો જવબદાર વ્‍યક્‍તિને સોપવામા આવે છે. તેઓને ચેતવણી પણ આપવામા આવે છે કે ભવિષ્‍યમાં આ પ્રકારના કળત્‍યમાં સામેલ જોવા મળશે તો તેઓ સાથે પણ એક અપરાધીની જેમ કાર્યવાહી કરવામા આવશે. 15 વ્‍યક્‍તિઓને હિરાસતમા લેવામા આવ્‍યા હતા અને એ વ્‍યક્‍તિઓ વિરુદ્ધ નિવારક કાર્યવાહી કરવામા આવી છે.
દાનહ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય જનતાએ પણ આ નારકોસને સફળ બનાવવા માટે સર્વેની ભાગીદારી જરૂરી છે, જો કોઈને જાણકારી હોય કે નાર્કોટિક્‍સ ડ્રગ અથવા સાઈકોટ્રોપિક પદાર્થ વેચવામા આવતુ હોય અથવા એનું સેવન કરવામા આવી રહ્યુ હોય તો પોલીસને જાણ કરવી જોઈએ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.

Related posts

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

vartmanpravah

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment