(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમાં નવા 05કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 57 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6198 કેસ રીકવર થઈ ચુકયા છે. ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 172 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 05 વ્યક્તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 28 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 05 રિપોર્ટ પાઝિટીવ આવ્યા છે. પ્રદેશમાં 05 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા. 02 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામાં આવ્યું હતું. જેમા આજે 495 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 441179 અને બીજો ડોઝ 312818 વ્યક્તિઓને આપવામા આવ્યો છે. પ્રેકયુશન ડોઝ 2292 વ્યક્તિઓને આપવામા આવ્યા છે. કુલ 756289 લોકોને વેક્સીન આપવામા આવી છે.