April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

દરેક મહિલા સશક્‍ત અને સક્ષમ બની આત્‍મનિર્ભર બને અને પોતાની કળા દ્વારા રોજગાર મેળવે એજ અમારો ઉદ્દેશઃ મલ્‍ટિબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના એક્‍ટિવિટી કો-ઓર્ડિનેટર નીતિન ઘુલે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈન દ્વારા મશાલ ચોક ખાતે તા.25મી માર્ચ, 2021 ના રોજ, તાલીમ કેન્‍દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ કેન્‍દ્રમાં જરૂરિયાતમંદમહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે સિલાઈ અને બ્‍યુટી પાર્લરની તાલીમ આપવામાં આવશે, જેમાં એક વર્ષમાં 160 મહિલાઓને તાલીમ આપવામાં આવશે.
આ કેન્‍દ્ર મલ્‍ટિબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી હેઠળ અને દીનબંધુ યુવા કલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત છે. આ તાલીમ વર્ગો 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવ્‍યા હતા. જેમાં 3 મહિનાની તાલીમ આપવામાં આવે છે. 3 મહિનાની તાલીમ લીધા બાદ, ત્રીજી બેચની મહિલાઓને આજે 21/02/2022ના રોજ એનજીઓ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત મલ્‍ટીબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના સિકયોરિટી ઓફિસર શ્રી નીરજ શર્માએ મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે તેઓએ આ સંસ્‍થામાંથી મેળવેલી આવડતનો ઉપયોગ કરીને આગળ વધવું જોઈએ. ત્‍યારબાદ મલ્‍ટિબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના એક્‍ટિવિટી કોઓર્ડિનેટર શ્રી નીતિન ઘુલેએ મહિલાઓને કહ્યું કે તેમની કંપની ઈચ્‍છે છે કે દરેક મહિલા સશક્‍ત અને સક્ષમ બની આત્‍મનિર્ભર બને અને પોતાની કળા દ્વારા રોજગાર મેળવે. ત્‍યારબાદ બાળ સુરક્ષા સમિતિના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ કુમાર પંડ્‍યાએ મલ્‍ટીબેઝ ઈન્‍ડિયા લિમિટેડ કંપની અને દીનબંધુ યુવા કલ્‍યાણ ટ્રસ્‍ટની પ્રશંસા કરતાંજણાવ્‍યું હતું કે કંપની દમણમાં વિવિધ સામાજિક મુદ્દાઓ પર કામ કરી રહી છે અને તેનો વિભાગ આ માટે ખૂબ જ આભારી છે અને જે મહિલાઓ તેણીએ અહીંથી તાલીમ મેળવી છે, હવે તેણીએ મેળવેલી કુશળતાનો સારો ઉપયોગ કરવો જોઈએ અને પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ અને ઊંચે ઉડવું જોઈએ. ઉપસ્‍થિત મહિલાઓએ તેમનો અનુભવ પણ શેર કર્યો અને તેઓ હાલમાં મારા કૌશલ્‍યોમાંથી કેવી રીતે આવક ઉભી કરી રહ્યાં છે તે પણ જણાવ્‍યું. આ સાથે તેણે કંપની અને એનજીઓનો આભાર માન્‍યો હતો.
અંતમાં, કાર્યક્રમના સંચાલક કળતિકા સિંઘે મહિલાઓને આગળ વધવા માટે પ્રેરિત કર્યા અને કહ્યું કે આત્‍મનિર્ભર બનીને તેઓ તેમના બાળકોને વધુ ભરણપોષણ આપી શકે છે. સાથોસાથ ઉપસ્‍થિત તમામ મહેમાનોનો આભાર માન્‍યો અને હંમેશ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહે તે માટે તેમનો સહકાર પ્રાપ્ત કર્યો.
આ પ્રસંગે પ્રોજેક્‍ટ હેડ શ્રી કનૈયા અગ્રવાલ, શિક્ષકા ગુડિયા અગ્રવાલ અને ફાલ્‍ગુની, કર્મચારી શિરીન, તાલીમ મેળવેલી કેટલીક મહિલાઓ અને દીનબંધુ યુવા કલ્‍યાણ ટ્રસ્‍ટની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

Leave a Comment