June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

વલસાડ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા)નો પ્રચાર કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ઉમેદવારોના ફોર્મ ગત રોજ સોમવારે અંતિમ દિવસે ભરાઈ ચૂક્‍યા છે. વલસાડની બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે, ભાજપમાં ઉમેદવારી સિટિંગ ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ, કોંગ્રેસમાં કમલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પુર્વ પાલિકા પ્રમુખ અને સસ્‍પેન્‍ડેડ રાજુભાઈ પટેલ ઉર્ફે મરચાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ફોર્મ ભરવાની અવધિ બાદ આજથી ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર આરંભી દીધા છે. સાથે વલસાડ જિલ્લામાં હવે રાજ્‍ય અને રાષ્‍ટ્રિય નેતાઓના ચૂંટણી પ્રચાર માટે આંટાફેરા ચાલુ થઈ જશે. જેનો શ્રી ગણેશ દિલ્‍હીના સી.એમ. અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આવતીકાલે વલસાડમાં રોડ શો યોજાનાર છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉતારી દીધા છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ માટે નવો પડકાર ઉભો થઈ ચૂક્‍યા છે. જો કે આમ આદમી પાર્ટી પ્રથમવાર રાજ્‍ય સ્‍તરે ચૂંટણી લડી રહી છે તેની પાસે જમીની કાર્યકરોનીત્રુટી સતાવી રહી છે. તો બીજી તરફ કેજરીવાલનો રેવડી પ્રચાર ગુજરાતની જનતા ઈનકારી રહી છે તેવી સ્‍થિતિ વચ્‍ચે વલસાડ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ પટેલ (મરચા)ના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલનો વલસાડમાં આવતીકાલ બુધવારે રોડ શો યોજાનાર છે. રામરોટી ચોક વલસાડથી રોડ શોનો પ્રારંભ થશે. ત્‍યાર બાદ શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરશે. જોવુ એ રહેશે કે વર્તમાન ચૂંટણીમાં વલસાડના મતદારો આપને કેવો પ્રતિભાવ આપે છે.

Related posts

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

Leave a Comment