March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

  • પાપડની ગુણવત્તા જાળવવા જી.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલે કરેલી ટકોર

  • દમણવાડા વિભાગના જિ.પં.ના સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે પ્રવાસીઓ માટે પણ પાપડની ખરીદી એક સંભારણું બને એવી ક્‍વોલીટી જાળવવા કરેલી હાંકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન (એનઆરએલએમ) દ્વારા આજે નાની દમણ કડૈયાના હનુમાન મંદિર ખાતે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ માટે પાપડ બનાવવાની બે દિવસની તાલીમના કાર્યક્રમનો આરંભ કરાવાયો હતો. આ તાલીમ રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેનિંગ ઈન્‍સ્‍ટિટયૂટ, સેલવાસની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલે સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને પાપડ બનાવવાની તાલીમનો લાભ લઈસ્‍થાનિક માર્કેટમાં તેનું વેચાણ થઈ શકે તે પ્રકારની ગુણવત્તા જાળવવા પણ તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સીધી દોરવણીથી આપણા વિસ્‍તારની બહેનોને આત્‍મનિર્ભર બનાવવા માટે અભિયાન શરૂ કરાયું છે. જેનો લાભ લેવા તેમણે પ્રેરિત કર્યા હતા.
દમણવાડા ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે જણાવ્‍યું હતું કે, સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને તાલીમ આપવાનો પ્રારંભ દમણવાડાથી થયો હતો અને આજે દમણવાડાની બહેનો દમણની સુપ્રસિદ્ધ હોટલ મીરામાર,મીરાસોલ તથા ફર્ન-ટેન્‍ટ રિસોર્ટ ખાતે પણ પોતાના પાપડના ઉત્‍પાદનનું વેચાણ કરી રહ્યા છે. સારી ગુણવત્તા, સ્‍વચ્‍છતા અને સમય ઉપર ડિલીવરી આપવામાં આવશે, તો પ્રદેશની હોટલોમાં જ પાપડની માંગ પૂર્ણ થઈ શકશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો અને પ્રવાસીઓ માટે પણ પાપડની ખરીદી એક સંભારણું બની શકે એવો આશાવાદ પણ વ્‍યક્‍ત કર્યો હતો.
આ પ્રસંગે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, એનઆરએલએમના ડિસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી એકલવ્‍ય મોડેલ રેસિડેન્‍ટલ સ્‍કૂલ કિલ્લા પારડી ખાતે વિશ્વ સિકલ સેલ રોગ જાગૃતિ દિવસ અંતર્ગત સિકલ સેલ એનિમિયા જાગૃતિ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

સાયલીની આલોક ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાગેલી આગઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

Leave a Comment