કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈ લીધેલો નિર્ણયઃ પ્રવિણ જનાથિયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21 : દાદરા નગર હવેલીના વરિષ્ઠ નેતા અને બહુજન મુક્તિ પાર્ટીના લોકસભાના પૂર્વ ઉમેદવાર શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ આજે શ્રી રાહુલ ગાંધી અને તેમની ‘ભારત જોડો’યાત્રાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અપનાવવાનો નિર્ણય લઈ બહુજન મુક્તિ પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
આ અવસરે શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી બહુમતિ ધરાવતા પ્રદેશ દાદરા નગર હવેલીની જનતા આજે પણ કોંગ્રેસની વિચારધારાથી જોડાયેલી છે અને દેશમાં કોંગ્રેસ જ એક એવી વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે જે પછાત, વંચિત, દલિત, લઘુમતિ અને આદિવાસી સમાજ માટે, સમાજના ઉત્થાન માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. શ્રી પ્રવિણભાઈ જનાથિયાએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ શ્રી મહેશભાઈ શર્માની અધ્યક્ષતામાં કોંગ્રેસ મજબૂત બની રહ્યો છે અને તેથી જ હું મારા હજારો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને કોંગ્રેસમાં જોડાવાના કારણે મારાકર્તાકર્તાઓમાં ઉત્સાહનો વધારો થયો છે.