July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ તાલુકાના ડુંગરીના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને નાશિકના કાળીદાસ મેમોરીયલ હોલ ખાતે નાશિક પત્રકાર સંઘ અને નગરસેવક દ્વારા જાદુઇ કલા ભૂષણ એવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં ફોટોગ્રાફર બાલશાષાી જાંભેકર, પત્રકાર સંઘના અધ્‍યક્ષ મહેન્‍દ્રભાઇ દેશપાંડે, આચાર્ય રામકુલકર્ણી, અભિનેત્રી સુરેખા લહા મંગેશકર શર્મા, અભિનેત્રી કિરણ રાવ, વિશ્વ સુંદરી પૂનમ તિરારી અને અભિનેતા હાર્દિક જોષીના વરદ હસ્‍તે મોમેન્‍ટો, સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જાદુગર ડી.લાલે નવ ફૂટ ચી તલવાર પેટની આરપાર, હવામાંથી તિરંગી ઝંડાઓ તથા કાગળમાંથી પૈસાનો વરસાદ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતાં. આ કાર્યક્રમ માટે જાદુગર મંગલ, જાદુગર રાજકુમાર, જાદુગર સમીરજી, જાદુગાર રાજાએ અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમ માટે સંજય અને રમેશે જહેમત ઉઠાવી હતી.

Related posts

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

vartmanpravah

વિજયાદશમીના પવિત્ર પાવન દિને માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે શસ્ત્રપૂજનનો ભવ્‍ય કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

Leave a Comment