Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ દિવસથી સરકારી જમીન અને સરકારી કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલથી લઇ ખરડપાડા ગામ અંકલાશ ગુજરાત હદ સુધી 28જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામોને જેસીબી વડે દુર કરવામા આવ્‍યા હતા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના ચિંચપાડા,વાસોણા અને પાટી ગામના 32 જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામને દુરકરવામા આવ્‍યા હતા.
આવનાર દિવસોમા સેલવાસ વિભાગ દ્વારા દાદરા પટેલાદ અને ખાનવેલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદમા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્‍યો છે કે કોઈએ પણ સરકારી જમીન, સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

કપરાડાના નાનાપોંઢા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાજતે-ગાજતે નીકળેલી તિરંગા યાત્રા

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

વલસાડ શહેર ધોધમાર વરસાદમાં અનેક વિસ્‍તારો, બજારો પાણીમાં ગરકાવ : જનજીવન બેહાલ

vartmanpravah

Leave a Comment