Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિજયાદશમીના પવિત્ર પાવન દિને માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે શસ્ત્રપૂજનનો ભવ્‍ય કાર્યક્રમ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વિજયા દશમી એ દશેરા તરીકે પણ ઓળખાય છે, એ સમયે જ્‍યારે શ્રીરામે રાવણ પર વિજય મેળવ્‍યો હતો. વિજયા દશમી એ એક મહત્‍વપૂર્ણ સંદેશ આપે છે કે જે નૈતિકતાને માનતો અને ધર્મના માર્ગે ચાલે છે, તે અંતે વિજયી બને છે. આ દિવસે શષાપૂજન એ સંકેત આપે છે કે સત્‍ય અને ધર્મના રક્ષણ માટે શષાોનો ઉપયોગ જરૂરી છે અને શષાોનો આદર કરવો જોઈએ. શસ્ત્રોએ હિંસાનો સાધન નથી, પરંતુ તે ન્‍યાય અને સત્‍યના રક્ષણ માટે છે.
વર્તમાન સમયમાં સત્‍ય ધર્મ અને કર્મના યોગ્‍ય માર્ગદર્શનના અભાવે આજનો માનવી અસત્‍યને સત્‍ય માની અને અધર્મને ધર્મ માની તે અસત્‍ય અને અધર્મના માર્ગે ભટકી રહ્યો છે. જેને કારણે આજે મોટાભાગના લોકો મફતનું ખાવાની વૃત્તિ, અપ્રમાણિક, કર્મહીન, દગાબાજ અને લંપટ વૃતિના જોવામળે છે. આ પૃથ્‍વીલોક પર અસત્‍ય ફૂલી ફાલીને આજે 98%એ પહોંચ્‍યું છે અને સત્‍ય માત્ર 2% બચવા પામ્‍યું છે. વિશ્વમાં ચારે બાજુ અરાજકતા, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, અને અનીતિનું સામ્રાજ્‍ય વર્તાય રહ્યું છે. અસત્‍ય પર વિજય પ્રાપ્ત કરવા, સત્‍ય ધર્મ અને કર્મની સ્‍થાપના કરવા શાષા અને શષાની આવશ્‍યકતા ખુબજ જણાય રહી છે.
માં વિશ્વંભરીની ક્રાંતિકારી વિચારધારા સમગ્ર વિશ્વમાં પ્રસારિત થાયએવા શુભાશયથી વિજયા દશમીના પવિત્ર દિને વલસાડના રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ભવ્યાતિભવ્ય શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં ગુજરાતના વિભિન્ન જીલ્લાઓ તેમજ સમગ્ર ભારતમાંથી હજારો ભક્તોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી, શસ્ત્રપૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલી વીર અને વિરાંગનાઓની શૌર્યમય કલાકૃતિઓ, ઉપસ્થિત સૌની આગવી આકર્ષણ બની ગઈ હતી. વિશેષ કરીને, જયારે વિરાંગનાઓએ તલવારની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું, ત્યારે તે ખરેખર શક્તિસ્વરૂપા દુર્ગાની પ્રતિમૂર્તિ તરીકે પ્રતિત થઈ.આજે, સમાજમાં અબળા ગણાતી નારીઓનું સશક્તિકરણ થાય અને શૌર્યવાન બને એ માટે શ્રી મહાપાત્ર અથાગ પુરુષાર્થ કરી રહ્યાં છે.
સત્ય ધર્મ-કર્મની સ્થાપના થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે પરમશક્તિ માં વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને એક સરળ અને સચોટ ઉપાય બતાવ્યો છે કે પ્રત્યેક મનુષ્ય“અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછો વળે અને પોતાના ઘરને એક મંદિર બનાવે” એટલે કે વ્યક્તિ અંધશ્રધ્ધા અને વ્યક્તિપૂજા છોડી પોતાના ઘરને એક પવિત્ર ઘરમંદિર બનાવીને શક્તિ પૂજા અપનાવે. શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય ઘર મંદિર બન્યાં છે. જેના કારણે આ પરિવારોમાં સાચી સમજણ અને સંઘનિષ્ઠાજાગૃત થઇ છે. લોકો સત્ય ધર્મ-કર્મના રાહ પર ચાલીને કર્તવ્યનિષ્ઠ બનવાલાગ્યાં છે.ઘરમંદિર બનેલા આવા આદર્શ પરિવારોને લીધે આજે આદર્શ કુટુંબ અને સમાજ વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થવા લાગી છે.
વિજયા દશમીના દિવસેશસ્ત્રપૂજનકરવા પાછળનો તાત્વિક અને ઐતિહાસિક મહત્વ છે.
1. વિજયનો પ્રતિક: વિજયા દશમી એ દશેરા તરીકે પણ ઓળખાય છે, જે તે સમયે ઉજવાય છે જ્યારે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. આ દિવસે શસ્ત્રપૂજન એ એ સંકેત આપે છે કે સત્ય અને ધર્મના રક્ષણ માટે શસ્ત્રોનો ઉપયોગ જરૂરી છે અને શસ્ત્રોનો આદર કરવો જોઈએ.
2. પરાક્રમ અને શૌર્યનું પ્રતિક: શસ્ત્રપૂજન એ પરાક્રમ અને શૌર્યનું પ્રતિક છે. આ પ્રથા જે તે સમયે રાજાઓ અને યોદ્ધાઓ દ્વારા કરવામાં આવતી હતી, જેમણે પોતાને યૂદ્ધ માટે તૈયાર રાખવા અને યોદ્ધા તરીકેના કર્તવ્યને યાદ કરવા માટે શસ્ત્રોની પૂજા કરી.
3. ધર્મ અને ન્યાયનું રક્ષણ: શસ્ત્રોનું પૂજન એ યાદ અપાવે છે કે શસ્ત્રોનું મૂળ ઉદ્દેશ માત્ર ધર્મ અને ન્યાયનું રક્ષણ કરવું છે. શસ્ત્રોનો ઉપયોગ માત્ર દુશ્મન સામે જ કરવો જોઈએ, અને તે પણ માત્ર આત્મસંરક્ષણ કે અયોગ્યતા સામે.
4. શ્રી દુર્ગાના આશીર્વાદ: નવરાત્રી દરમિયાન માં દુર્ગાનું પૂજન કરવામાં આવે છે અને શસ્ત્રપૂજન એ દુર્ગા માતાના રુપોનું આદર પ્રદર્શન પણ છે, જેમણે દાનવ મહિષાસુરનો નાશ કર્યો હતો.
5. શસ્ત્રો માત્ર બાહ્ય લડાઈ માટે નથી, પરંતુ મનની અંદર ચાલતી લડાઈ માટે પણ છે. શસ્ત્રપૂજન એ દર્શાવે છે કે વ્યક્તિએ પોતાના અંદરના શત્રુઓ, જેમ કે ક્રોધ, મોહ, લોભ અને અહંકારને હરાવવા માટે પણ બાહ્ય શસ્ત્રો ઉપરાંત આદ્યાત્મિક શસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ.
6. અન્ન અને ઔજસનું સંમાન: વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન સાથે સાથે ખેતી માટે ઉપયોગમાં આવતા હથિયારોનું પણ પૂજન કરવામાં આવે છે, જેમ કે હળ, ફાળ, વગેરે. આ પ્રથા એ સમજ આપે છે કે આ હથિયારોનું ઉપયોગ શાંતિપૂર્વક જીવન જીવવા માટે જરૂરી છે, અને તે પણ જીવનનું એક મહત્વપૂર્ણ સાધન છે.
7. નૈતિક અને ધર્મની વિજય: વિજયા દશમી એ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જે નૈતિકતાને માનતો અને ધર્મના માર્ગે ચાલે છે, તે અંતે વિજયી બને છે. શસ્ત્રો એ માત્ર હિંસાનો સાધન નથી, પરંતુ તે ન્યાય અને સત્યના રક્ષણ માટે છે.
આ રીતે વિજયા દશમી પર શસ્ત્રપૂજન એ શૌર્ય, રક્ષણ, અને ન્યાયના સિદ્ધાંતોનું પૂજન છે, જેની વિદ્યા અને ધર્મના માર્ગ પર ચાલતી વ્યક્તિઓ દ્વારા આદરપૂર્વક ઉજવણી થાય છે.

Related posts

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ત્રિ-દિવસીય ‘‘પી.એમ. વિશ્વકર્મા” પ્રદર્શનીનો શુભારંભ

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

Leave a Comment