





(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13: વિજયા દશમી એ દશેરા તરીકે પણ ઓળખાય છે, એ સમયે જ્યારે શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો. વિજયા દશમી એ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જે નૈતિકતાને માનતો અને ધર્મના માર્ગે ચાલે છે, તે અંતે વિજયી બને છે. આ દિવસે શષાપૂજન એ સંકેત આપે છે કે સત્ય અને ધર્મના રક્ષણ માટે શષાોનો ઉપયોગ જરૂરી છે અને શષાોનો આદર કરવો જોઈએ. શસ્ત્રોએ હિંસાનો સાધન નથી, પરંતુ તે ન્યાય અને સત્યના રક્ષણ માટે છે.
વર્તમાન સમયમાં સત્ય ધર્મ અને કર્મના યોગ્ય માર્ગદર્શનના અભાવે આજનો માનવી અસત્યને સત્ય માની અને અધર્મને ધર્મ માની તે અસત્ય અને અધર્મના માર્ગે ભટકી રહ્યો છે. જેને કારણે આજે મોટાભાગના લોકો મફતનું ખાવાની વૃત્તિ, અપ્રમાણિક, કર્મહીન, દગાબાજ અને લંપટ વૃતિના જોવામળે છે. આ પૃથ્વીલોક પર અસત્ય ફૂલી ફાલીને આજે 98%એ પહોંચ્યું છે અને સત્ય માત્ર 2% બચવા પામ્યું છે. વિશ્વમાં ચારે બાજુ અરાજકતા, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, અને અનીતિનું સામ્રાજ્ય વર્તાય રહ્યું છે. અસત્ય પર વિજય પ્રાપ્ત કરવા, સત્ય ધર્મ અને કર્મની સ્થાપના કરવા શાષા અને શષાની આવશ્યકતા ખુબજ જણાય રહી છે.
માં વિશ્વંભરીની ક્રાંતિકારી વિચારધારા સમગ્ર વિશ્વમાં પ્રસારિત થાયએવા શુભાશયથી વિજયા દશમીના પવિત્ર દિને વલસાડના રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તિર્થયાત્રા ધામ ખાતે ધામના સ્થાપક શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ભવ્યાતિભવ્ય શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં ગુજરાતના વિભિન્ન જીલ્લાઓ તેમજ સમગ્ર ભારતમાંથી હજારો ભક્તોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી, શસ્ત્રપૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલી વીર અને વિરાંગનાઓની શૌર્યમય કલાકૃતિઓ, ઉપસ્થિત સૌની આગવી આકર્ષણ બની ગઈ હતી. વિશેષ કરીને, જયારે વિરાંગનાઓએ તલવારની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું, ત્યારે તે ખરેખર શક્તિસ્વરૂપા દુર્ગાની પ્રતિમૂર્તિ તરીકે પ્રતિત થઈ.આજે, સમાજમાં અબળા ગણાતી નારીઓનું સશક્તિકરણ થાય અને શૌર્યવાન બને એ માટે શ્રી મહાપાત્ર અથાગ પુરુષાર્થ કરી રહ્યાં છે.
સત્ય ધર્મ-કર્મની સ્થાપના થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે પરમશક્તિ માં વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને એક સરળ અને સચોટ ઉપાય બતાવ્યો છે કે પ્રત્યેક મનુષ્ય“અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછો વળે અને પોતાના ઘરને એક મંદિર બનાવે” એટલે કે વ્યક્તિ અંધશ્રધ્ધા અને વ્યક્તિપૂજા છોડી પોતાના ઘરને એક પવિત્ર ઘરમંદિર બનાવીને શક્તિ પૂજા અપનાવે. શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય ઘર મંદિર બન્યાં છે. જેના કારણે આ પરિવારોમાં સાચી સમજણ અને સંઘનિષ્ઠાજાગૃત થઇ છે. લોકો સત્ય ધર્મ-કર્મના રાહ પર ચાલીને કર્તવ્યનિષ્ઠ બનવાલાગ્યાં છે.ઘરમંદિર બનેલા આવા આદર્શ પરિવારોને લીધે આજે આદર્શ કુટુંબ અને સમાજ વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થવા લાગી છે.
સત્ય ધર્મ-કર્મની સ્થાપના થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે પરમશક્તિ માં વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને એક સરળ અને સચોટ ઉપાય બતાવ્યો છે કે પ્રત્યેક મનુષ્ય“અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછો વળે અને પોતાના ઘરને એક મંદિર બનાવે” એટલે કે વ્યક્તિ અંધશ્રધ્ધા અને વ્યક્તિપૂજા છોડી પોતાના ઘરને એક પવિત્ર ઘરમંદિર બનાવીને શક્તિ પૂજા અપનાવે. શ્રી મહાપાત્રના માર્ગદર્શનથી આજે સમગ્ર વિશ્વમાં અસંખ્ય ઘર મંદિર બન્યાં છે. જેના કારણે આ પરિવારોમાં સાચી સમજણ અને સંઘનિષ્ઠાજાગૃત થઇ છે. લોકો સત્ય ધર્મ-કર્મના રાહ પર ચાલીને કર્તવ્યનિષ્ઠ બનવાલાગ્યાં છે.ઘરમંદિર બનેલા આવા આદર્શ પરિવારોને લીધે આજે આદર્શ કુટુંબ અને સમાજ વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થવા લાગી છે.