September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

શિક્ષણની ગુણવત્તાના સુધારા ઉપર શિક્ષણ વિભાગે આપેલી માહિતી : દમણ અને દાનહના 40થી વધુ તાલીમાર્થીઓએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
દમણ સ્‍થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા ત્રણ દિવસીય નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમહેઠળ, તાલીમાર્થીઓને બ્‍લોક અને ક્‍લસ્‍ટર સ્‍તરની શાળાઓ સાથે કેવી રીતે કામ કરવા સક્ષમ બનશે તે વિશે વિગતવાર તાલીમ મેળવી હતી તેમજ શાળા સ્‍તરે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરે છે અને શૈક્ષણિક તાલીમમાં આવતા પડકારો વિશે તેમને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં દમણ અને દાદરા નગર હવેલીના 40 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ નિયામક શ્રી નિલેશ ગુરવ અને મદદનીશ શિક્ષણ નિયામક શ્રી પરિતોષ શુક્‍લાએ તેમના સંબોધનમાં શિક્ષણ વિભાગ અને ડ્રાફટ દ્વારા આપવામાં આવેલ તાલીમ કાર્યક્રમની ઉપયોગીતા અને શિક્ષણમાં ગુણવત્તા ઉપર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.
આ ત્રણ દિવસીય કાર્યક્રમનું સંચાલન ડાઈટ ફેકલ્‍ટી, રિસોર્સ પર્સન દ્વારા કરવામાં આવ્‍યું હતું. ડાઈટ દમણના આચાર્ય શ્રી આઈ.વી.પટેલે તેમના સંબોધનમાં તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા સંયુક્‍ત શિક્ષણ વિભાગ અને શિક્ષણ અધિકારીઓના સહકાર બદલ ટીમ ડાઈટનો આભાર માન્‍યો હતો.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

Leave a Comment