December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: બીએપીએસના મહાન પ્રણેતા એવા મહાન સંત વિભૂતિ શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી 600 એકર જમીનમાં અને પરમ પૂજ્‍ય મહંત સ્‍વામીના આશીર્વાદથી 600 સંતો આ ભવ્‍ય આયોજનને સફળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ શતાબ્‍દી મહોત્‍સવ તા.15 ડિસેમ્‍બર 22થી 15 જાન્‍યુઆરી 23 સુધી પ્રમુખ સ્‍વામી નગર, સ્‍વામિનારાયણ નગર, સાયન્‍સ સીટી રોડ, ઓગણજ સર્કલ સરદાર પટેલ રીંગ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.
આ મહોત્‍સવની ઘણી વિશેષતાઓ છે. જેમાં 6 વિશાળ કલાત્‍મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. 280 ફૂટ પહોળો અને 51 ફૂટ ઊંચો. અને પરમ પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજની 30 ફૂટ ઊંચી સ્‍વર્ણિમ પ્રતિમાનાં આવનાર દરેકને સુંદર દર્શન થશે. દિલ્‍હી અક્ષર ધામની પ્રતીતિ થાય તેવું અક્ષર ધામ બનાવવામાં આવશે. તેમજ લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો, ઉપરાંત દુબઈમાં જોવા મળતો લો ગાર્ડનનો અદભૂત ભવ્‍ય નજારો નિઃશુલ્‍ક જોવા મળશે.આપનું દિલ જીતી લે તેવી બાળ નગરી બનાવવામાં આવશે. સર્વ ધર્મ સમભાવ પ્રયાગ તીર્થ, વિવિધ પ્રદર્શન ટેલેન્‍ટ શો..નું આયોજન થશે. આ મહોત્‍સવમાં મોટા 6 ડોમ તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રેરણાદાયક સંવાદનો લોકો લાભ ઊઠાવી શકશે. જીવનનાં ઉચ્‍ચ મુલ્‍યો શીખવતા પ્રદર્શન નિહાળવાનો પણ લાભ મળી રહેશે. જ્‍યોતિ ઉદ્યાન પણ તૈયાર થઈ રહ્યું છે. તેમજ ખાણી પીણીના સ્‍ટોલ (પ્રેમવતી)નો પણ લાભ મળી રહેશે. યજ્ઞ મંડપ, હવન, મહિલાઓ માટે અલગથી ચર્ચા સભા યાને વિચારોના આદાન પ્રદાન માટેની વ્‍યવસ્‍થા તથા પીવાના પાણીની અને શૌચાલયની યથા યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.
મીડિયા પત્રકાર મિત્રો માટે બેસવા તથા કામગીરી કરવા માટે અલગથી મંડપની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સ્‍વયમ્‌ સેવકો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આથી પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ એક કાયમી સંભારણું બની રહેશે. આ મહોત્‍સવમાં દેશ વિદેશથી પણ લાભ લેવા ઘણા હરી ભક્‍તો પધારશે. સંસ્‍થા તરફથી બધાને ફેમિલી સહિત પધારવા માટે આમંત્રણ આપે છે.

Related posts

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

Leave a Comment