April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે દમણ દાભેલની સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું કરેલું ઉદ્‌ઘાટન

દરેક સ્‍ટોલની મુલાકાત લઈ કૃતિ અને પ્રોજેક્‍ટ નિહાળી બાળ વૈજ્ઞાનિકોના પ્રયાસની પણ કરેલી સરાહના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના નવનિર્વાચિત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે દમણના દાભેલ ખાતે આવેલ શ્રી સ્‍વામી નારાયણ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
દમણ-દાભેલની શ્રી સ્‍વામી નારાયણ વિદ્યાલયના વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાલયના ટ્રસ્‍ટી શ્રી ખીમજીભાઈ પટેલ, પ્રિન્‍સિપાલ શ્રીમતી અનુપમાજીની ઉપસ્‍થિતિમાં પ્રદર્શનને ખુલ્લું મુક્‍યા બાદ પ્રદર્શિત વિવિધ મોડેલ અને કૃતિઓનું પણનિરીક્ષણ કર્યું હતું. આ શાળામાં ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાલયના મેનેજમેન્‍ટની સાથે વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક સ્‍ટોલોની મુલાકાત લઈ મોડેલ અને કૃતિ નિહાળી બાળ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા-વિચારણાં પણ કરી હતી. વિદ્યાર્થીઓની વિજ્ઞાનના વિષયમાં રૂચિ અને દક્ષતા નિહાળી પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી અને શાળા પરિવારને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.
આ પ્રસંગે આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે શ્રી સ્‍વામી નારાયણ વિદ્યાલયના સ્‍કૂલ મેનેજમેન્‍ટ સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, જ્ઞાન-વિજ્ઞાનની રાષ્‍ટ્રની પ્રગતિમાં મહત્‍વની ભૂમિકા હોય છે. નવી પેઢીની વિજ્ઞાનમાં દક્ષતા ભારતના ભાવિને વધુ ઉજળુ બનાવશે. તેમણે શાળાની એજ્‍યુકેશન ક્‍વોલીટીની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શ્રી સ્‍વામી નારાયણ વિદ્યાલયના ટ્રસ્‍ટી શ્રી ખીમજીભાઈ પટેલે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલને હનુમાનજીની પ્રતિમા સ્‍મૃતિ ચિહ્ન તરીકે ભેટ આપી હતી.

Related posts

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

Leave a Comment