Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)ચીખલી,(વંકાલ)
ચીખલી તાલુકાના વંકાલ ગામના પૂર્વ સરપંચ શ્રી દીપકભાઈ પટેલ તેમજ શ્રી જીતુભાઇ પટેલ, અગ્રણી શ્રી દિપકભાઈ સોલંકી સહિતનાની આગેવાનીમાં વજીફા ફળીયાના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ ચૌધરીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે અમારૂં વજીફા ફળિયું કાવેરી નદીના કિનારા પર આવેલ છે. ચોમાસાની સિઝનમાં ઉપરવાસના વિસ્‍તારોમાં વધુ વરસાદ પડે તે સમયે પૂરના પાણી ફળીયાના રહેણાંક અને ખેતર વિસ્‍તારમાં ફરી વળતાં ફળિયું બેટમાં ફેરવાઇ જતાં સંપર્ક વિહોણું થઈ જાય છે અને હળદળ, શેરડી, ડાંગર, સૂરણ, આંબા, ચીકુ, પપૈયા તથા અન્‍યવૃક્ષોને તથા પાકોને વ્‍યાપક નુકશાન થતું આવ્‍યું છે અને હવે બુલેટ ટ્રેનના સર્વિસ રોડના કારણે કેટલીક જગ્‍યાએ પાણીના વહેણ પુરાઈ જવાના કારણે ઔર વધુ વિકટ પરિસ્‍થિતિનો સામનો લોકોને કરવા પડશે.
આ દરમ્‍યાન હાલે બુલેટ ટ્રેનનો માટીથી બનાવેલ સર્વિસ રોડ ઘણી જ ઊંચાઈ સુધી લેવામાં આવેલ છે. ફળિયું હાલ બે ભાગમાં વહેંચાઈ ગયેલ છે. ત્‍યારે બુલેટ ટ્રેનનો સર્વિસ રોડનો પૂર્વ તરફનો ભાગ ઊંચાઈએ આવેલો હોવાથી ચોમાસામાં પૂરના પાણી પૂર્વ બાજુએથી વહીને પヘમિ દિશામાં કાવેરી નદીમાં ઠલવાય છે. પરંતુ બુલેટ ટ્રેનના સર્વિસ રોડના પરિણામે પૂરના પાણીનો નિકાલ થશે નહીં અને અનેક ખેડૂતોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ઘુસી જશે અને પાણીનો ભરાવો થતા ખેતી પાકો બરબાદ થઈ જશે.
વધુમાં ખેતીવાડીની જમીનનો અંદાજે 60 થી 70 ટકા ભાગ બુલેટ ટ્રેનની લાઈનના પヘમિ ભાગે આવેલો છે. જેમાં ઊંચાઈવાળા સર્વિસ રોડના કારણે મોટરનું પાણી, ખેડ ખાતરના વાહનો વગેરે સામેની બાજુએ લઈ જવાનું બંધ થતાં અમારી મહામૂલી ખેતીવાડી નકામી થઈ જવા સાથે અમારૂં આવકનું સાધન છીનવાઈ જતાં દુધાળા પશુઓ સહિત અમારી સ્‍થિતિ કફોડી બની જશે.
આમ બુલેટ ટ્રેનના સર્વિસ રોડની ઊંચાઈને પગલે પૂરના પાણીનો નિકાલ નહીં થઈ શકે તેમ હોવાથીઅલગ અલગ ચારથી પાંચ જગ્‍યાએ મોટા કદના સિમેન્‍ટના પાઇપ નાંખવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં મોટી સંખ્‍યામાં ખેડૂતો પહોંચ્‍યા હતા. પરંતુ અધિકારી ઉપસ્‍થિત નહીં હોય કલાક જેટલો સમય વીતી જતાં ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને લોકોએ તેઓની માંગણી બાબતે ઉગ્ર રજૂઆતો પણ કરી આવી હતી.

Related posts

વાપીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

સરીગામ પંચાયત દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

ચીખલી પોલીસે સુંઠવાડ ગામેથી દારૂ ભરેલ બોલેરો સાથે રૂ.૭.૨૭ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment