બીલીપત્રના વૃક્ષ ઉપરથી તમામ પર્ણો ખરી પડતા પાનખરનો જયઘોષ થયો છે. હવે બીલીપત્રના વૃક્ષને પણ નવપલ્લવિત થવા માટે વસંતનો ઈંતેઝાર છે. જીવનમાં પણ સુખ-દુઃખ અને આનંદ-શોકનું ચક્ર ચાલતુ જ રહે છે. માણસ નહીં સમય બળવાન છે, તેનો નાદ પ્રકૃતિના બદલાતા સ્વરૂપમાં પણ સંભળાય છે. પરંતુ કાળા માથાનો માનવી હંમેશા જીવનમાં વસંતની કામના કરતો રહે છે. પરંતુ નિયતીના ચક્રમાં રાત-દિવસ અને તાપ તથા ટાઢનો તબક્કો ચાલતો જ રહે છે. બસ, હવે પાનખર બાદ નવપલ્લવિત થવાની આશા,આકાંક્ષા રહે છે.