Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન 7 વર્ષથીગૌસેવા કરીને 3 ગૌશાળામાં 550 ગાયોને પોષણ યુક્‍ત ખોરાક પુરો પડાય છે


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
વાપી અંબામાતા પરિસરમાં ગૌસેવાના લાભાર્થે પ્રથમવાર ભાગવત કથાનું આયોજન બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. તા.22 થી 28 મે સુધી નિયમિત સાંજના 4 કલાકથી 8 વાગ્‍યા સુધી પંડિત ગોપાલ શાષાી નિયમિત ભાગવત કથા રસ પાન કરાવશે.
વિવિધ સમાજના પ્રબુધ્‍ધને જાણીને આનંદ થશે કે અંબામાતા મંદિરમાં વાપીમાં ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા પ્રારંભ પહેલા કળશ, શોભાયાત્રા નિકળી હતી જે ગાયત્રી મંદિરથી પ્રારંભ થઈને અંબામાતા મંદિરે પહોંચી હતી. તા.22 થી 28 સુધી ચાલનાર ભાગવત કથાની આવક ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવનાર છે. કથા આયોજક બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ છેલ્લા સાત વર્ષથી ગૌસેવાનુ અભિયાન ચલાવી રહેલ છે. 7 વર્ષથી 3 ગૌશાળાઓમાં 550 ગૌમાતાઓને પોષણયુક્‍ત ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. કથાકાર પંડિત ગોપાલ શાસ્ત્રીજીએ નિઃસ્‍વાર્થ સેવા આપવાનું જણાવેલ છે. ટ્રસ્‍ટ દ્વારા દરરોજ 5 ટન ઘાસચારો તેમજ ઈજાગ્રસ્‍ત, બિમાર ગાયોની સારવાર સેવા પણ અવિરત ચાલુ રહે છે. ભાગવત કથાનો એકમાત્ર ઉદ્દેશ કેવળ ગૌસેવા. કોઈ ગાય માતા ભૂખી ના રહે તેવો સંસ્‍થા સતતપ્રયાસ કરી રહેલ છે. કથાનો સૌ ભાવિકોએ લાભ લેવા માટે અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment