બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન 7 વર્ષથીગૌસેવા કરીને 3 ગૌશાળામાં 550 ગાયોને પોષણ યુક્ત ખોરાક પુરો પડાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23
વાપી અંબામાતા પરિસરમાં ગૌસેવાના લાભાર્થે પ્રથમવાર ભાગવત કથાનું આયોજન બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તા.22 થી 28 મે સુધી નિયમિત સાંજના 4 કલાકથી 8 વાગ્યા સુધી પંડિત ગોપાલ શાષાી નિયમિત ભાગવત કથા રસ પાન કરાવશે.
વિવિધ સમાજના પ્રબુધ્ધને જાણીને આનંદ થશે કે અંબામાતા મંદિરમાં વાપીમાં ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પ્રારંભ પહેલા કળશ, શોભાયાત્રા નિકળી હતી જે ગાયત્રી મંદિરથી પ્રારંભ થઈને અંબામાતા મંદિરે પહોંચી હતી. તા.22 થી 28 સુધી ચાલનાર ભાગવત કથાની આવક ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવનાર છે. કથા આયોજક બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી ગૌસેવાનુ અભિયાન ચલાવી રહેલ છે. 7 વર્ષથી 3 ગૌશાળાઓમાં 550 ગૌમાતાઓને પોષણયુક્ત ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. કથાકાર પંડિત ગોપાલ શાસ્ત્રીજીએ નિઃસ્વાર્થ સેવા આપવાનું જણાવેલ છે. ટ્રસ્ટ દ્વારા દરરોજ 5 ટન ઘાસચારો તેમજ ઈજાગ્રસ્ત, બિમાર ગાયોની સારવાર સેવા પણ અવિરત ચાલુ રહે છે. ભાગવત કથાનો એકમાત્ર ઉદ્દેશ કેવળ ગૌસેવા. કોઈ ગાય માતા ભૂખી ના રહે તેવો સંસ્થા સતતપ્રયાસ કરી રહેલ છે. કથાનો સૌ ભાવિકોએ લાભ લેવા માટે અખબારી યાદી દ્વારા જણાવાયું છે.