Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન 7 વર્ષથીગૌસેવા કરીને 3 ગૌશાળામાં 550 ગાયોને પોષણ યુક્‍ત ખોરાક પુરો પડાય છે


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
વાપી અંબામાતા પરિસરમાં ગૌસેવાના લાભાર્થે પ્રથમવાર ભાગવત કથાનું આયોજન બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. તા.22 થી 28 મે સુધી નિયમિત સાંજના 4 કલાકથી 8 વાગ્‍યા સુધી પંડિત ગોપાલ શાષાી નિયમિત ભાગવત કથા રસ પાન કરાવશે.
વિવિધ સમાજના પ્રબુધ્‍ધને જાણીને આનંદ થશે કે અંબામાતા મંદિરમાં વાપીમાં ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા પ્રારંભ પહેલા કળશ, શોભાયાત્રા નિકળી હતી જે ગાયત્રી મંદિરથી પ્રારંભ થઈને અંબામાતા મંદિરે પહોંચી હતી. તા.22 થી 28 સુધી ચાલનાર ભાગવત કથાની આવક ગૌસેવાના લાભાર્થે વાપરવામાં આવનાર છે. કથા આયોજક બાલાજી ચેરીટેબલ ટ્રસ્‍ટ છેલ્લા સાત વર્ષથી ગૌસેવાનુ અભિયાન ચલાવી રહેલ છે. 7 વર્ષથી 3 ગૌશાળાઓમાં 550 ગૌમાતાઓને પોષણયુક્‍ત ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. કથાકાર પંડિત ગોપાલ શાસ્ત્રીજીએ નિઃસ્‍વાર્થ સેવા આપવાનું જણાવેલ છે. ટ્રસ્‍ટ દ્વારા દરરોજ 5 ટન ઘાસચારો તેમજ ઈજાગ્રસ્‍ત, બિમાર ગાયોની સારવાર સેવા પણ અવિરત ચાલુ રહે છે. ભાગવત કથાનો એકમાત્ર ઉદ્દેશ કેવળ ગૌસેવા. કોઈ ગાય માતા ભૂખી ના રહે તેવો સંસ્‍થા સતતપ્રયાસ કરી રહેલ છે. કથાનો સૌ ભાવિકોએ લાભ લેવા માટે અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળીઃ હાઈવે પર ખાડાના મુદ્દે કલેકટરે કડક તેવર અપનાવ્‍યા

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

વલસાડના કવિશ્રી ઉશનસની સ્મૃતિમાં વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો માટે સ્પર્ધા યોજાશે

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

વાપી બલીઠા પાસે માલગાડી સામે અજાણ્‍યા યુવાને પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

Leave a Comment