June 25, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અનિલ મગનલાલ પટેલ (ઉ.વ.49) (મૂળ રહે. સરૈયા પટેલ ફળીયા દૂધ મંડળીની સામે તા.ચીખલી) (હાલ રહે. એસઆરપીએફ જૂથ 11 વાવ, જી. સુરત) જે તા.08/05/2022ની સાંજના સમયે પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવશે ગયા બાદ તા.21/05/2022 પરત વાવ (સુરત) ખાતે આવી પહોંચી કાકાનો દીકરો સરૈયા સ્‍થિત ઘરે આવી જોતા ઘરની આગળના મુખ્‍ય દરવાજાનું તાળું ખુલ્લું હોય અંદર પ્રવેશ કરી જોતા લોખંડના ચાર કબાટ, લાકડાના 3 કબાટ મળી કુલ્લે સાત જેટલા કબાટમાં મુકેલ સર સામાન વેર વિખેર હાલતમાં હોય તેમજ કબાટના લોકરમાં મુકેલ ચાંદીના ઝાંઝર, ઝુડો, વીંટી જેની કિંમત રૂા.10,000/ તેમજ એલસીડી ટી.વી. કિંમત રૂા.35,000/ મળી કુલ્લે રૂા.45,000/ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઈ જતા બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

vartmanpravah

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

વાંસદા તાલુકાના સરા અને ખંભાલિયા ગામના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાતા 13 લોકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

Leave a Comment