September 10, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અનિલ મગનલાલ પટેલ (ઉ.વ.49) (મૂળ રહે. સરૈયા પટેલ ફળીયા દૂધ મંડળીની સામે તા.ચીખલી) (હાલ રહે. એસઆરપીએફ જૂથ 11 વાવ, જી. સુરત) જે તા.08/05/2022ની સાંજના સમયે પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવશે ગયા બાદ તા.21/05/2022 પરત વાવ (સુરત) ખાતે આવી પહોંચી કાકાનો દીકરો સરૈયા સ્‍થિત ઘરે આવી જોતા ઘરની આગળના મુખ્‍ય દરવાજાનું તાળું ખુલ્લું હોય અંદર પ્રવેશ કરી જોતા લોખંડના ચાર કબાટ, લાકડાના 3 કબાટ મળી કુલ્લે સાત જેટલા કબાટમાં મુકેલ સર સામાન વેર વિખેર હાલતમાં હોય તેમજ કબાટના લોકરમાં મુકેલ ચાંદીના ઝાંઝર, ઝુડો, વીંટી જેની કિંમત રૂા.10,000/ તેમજ એલસીડી ટી.વી. કિંમત રૂા.35,000/ મળી કુલ્લે રૂા.45,000/ની ચોરી કોઈ ચોર ઈસમ કરી ફરાર થઈ જતા બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

સેલવાસના ગુલાબભાઈ રોહિતે 6ઠ્ઠા ICMRLGI-2023 વૈશ્વિક સંમેલનમાં આપ્‍યો નવો શિક્ષણ સિદ્ધાંત

vartmanpravah

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

Leave a Comment