July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાયેલ સ્‍પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને ત્રીજા વિજેતા જાહેર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં સંસ્‍થાની સાંસ્‍કૃતિક કમિટી દ્વારા આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ હતી. તેમાં જુદી જુદી ફેકલ્‍ટીની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ સ્‍પર્ધા રસપ્રદ બનાવી હતી.
આર.કે. દેસાઈ કોલેજીસમાં વર્તમાનમાં ચાલી રહેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભે આરતી શણગારની સ્‍પર્ધા કોલેજની સાંસ્‍કૃતિક કમિટીના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈને આનંદ સાથે આંતરિક કલાને ઉજાગર કરી બેનમુન આરતીની થાળીઓ શણગારી હતી. જેમાં સુસુપ્ત કલાનો નિખાર જોવા મળ્‍યો હતો. સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ડો.સારિકા પટેલ અને ડો.કવિતા પટેલે ખુબ જ નિખાલશપણે નિર્ણાયકની ભૂમિકા અદા કરી પરિણામની જાહેરાત કરી હતી. જેમાંપ્રથમ ક્રમે જીનલ પટેલ (એસ.વાય. બી.કોમ), બીજા ક્રમે બીની પટેલ (ટી.વાય.બી.કોમ) અને ત્રીજા ક્રમે ગીતાંજલી ઝા (એસ.વાય.બી.કોમ) વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના સુંદર આયોજન બદલ સંસ્‍થા ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ, કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.શિતલ ગાંધી, ઈન્‍ચાર્જ આચાર્યા ડો.મિત્તલ શાહ અને ડો.અમી ઓઝાએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

Leave a Comment