Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

સેલવાસ ન.પા. વિસ્‍તારના 11 વેપારીઓ પાસે લાયસન્‍સ નહીં હોવાને કારણે તેઓ સામે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર ધંધો કરનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાની ટીમ દ્વારા આમલી શાકભાજી માર્કેટ, કિલવણી નાકા શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ સહિત આજુબાજુના વિસ્‍તારમાં જેઓ પાસે લાયસન્‍સ નહી હોય તેવા લોકોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમા અગિયાર વેપારીઓ પાસે લાયસન્‍સ નહી મળી આવતા તેઓની લારીઓને કબ્‍જે લેવામા આવી હતી અને વેપારીઓને તાકીદ પણ કરવામા આવી હતી કે સેલવાસના કોઈપણ વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો એના માટે પાલિકામાંથી લાયસન્‍સ લેવુફરજીયાત છે. જેથી પહેલા લાયસન્‍સ કઢાવી લે પછી જ માર્કેટમાં કે પછી બીજા વિસ્‍તારમા જ્‍યાં પાલિકાએ જગ્‍યા ફાળવી છે એ જગ્‍યા પર ધંધો કરી શકે છે.

Related posts

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

કરમબેલા પંચાયતના બજેટને લાગેલું ગ્રહણ દૂર કરવામાં સરપંચ નિષ્‍ફળ

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

Leave a Comment