Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

પોલીસ સુરક્ષા સેતુ અને ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્‍યું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: કન્‍યાઓ સશક્‍ત બને સ્‍વરક્ષણ કરી શકે એટલા માટે અતુલ કન્‍યા શાળામાં માર્શલ આર્ટસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 250 ઉપરાંત કન્‍યાઓને પધ્‍ધતિસરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ગુજરાત કાનુની સત્તા મંડળ, વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા તથા સેલ્‍ફ ડિફેન્‍સ કરાટે એસોસિએશન-ગુજ્જુ કરાટે દ્વારા અતુલ કન્‍યા શાળામાં આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી કન્‍યાઓ સશક્‍ત બને સ્‍વરક્ષણ કરી શકે તે અંગેની પધ્‍ધતિસરની ટ્રેનિંગ અને માર્ગદર્શન ઉપસ્‍થિત નિષ્‍ણાંતો દ્વારા આપવામાં આવી હતી. આ કેમ્‍પમાં 250 ઉપરાંત કન્‍યાઓ જોડાઈ હતી. કન્‍યાઓ જાગૃત થાય, સ્‍વરક્ષણ માટે કટીબધ્‍ધ બને, સેલ્‍ફ કોન્‍ફીડન્‍સ ડેવલપ થાય તેવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અત્‍યારે સમાજમાં અણબનાવો બને ત્‍યારે પોતે પોતાનુંપ્રોટેકશન કરી શકાય, પોલીસ વાલી કે શિક્ષકને કેવી રીતે જાણ કરવી એનું પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં બેસ્‍ટ પરફોમન્‍સ કરેલ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

vartmanpravah

Leave a Comment