April 5, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ખેડૂતોની વાડીઓમાંથી વધી રહેલા મોટર ચોરીના બનાવો બાબતે પારડી પોલીસ અને ભંગારીયાઓ વચ્‍ચે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.23
છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના ખેડૂતોની વાડીઓમાંથી મોટર ચોરીના બનાવોની ફરિયાદ વારંવાર પારડી પોલીસ સ્‍ટેશને આવતા પારડી પોલીસ સ્‍ટેશન ના પી.આઈ. શ્રી મયુર પટેલે ભગારીયાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ બેઠકમાં મયુર પટેલે તમામ ભગારીયાઓને ચોરી ની કોઈપણ ચીજવસ્‍તુઓ ખરીદવાની મનાઈ કરવામાં આવી હતી. ચોરો ખૂબ સસ્‍તામાં ચોરેલો માલ આવા ભગારીયાઓને વેચી રોકડી કરી લેતા હોય છે ત્‍યારે પોલીસે લાલ આંખ કરી આવા ભગારીયાઓને કડક સૂચનાઓ આપી ચોરીનો માલ તો ખરીદવો નહિ પરંતુ આવી ચોરીની ચીજવસ્‍તુઓ લઈ આવનારની તમામ માહિતી તથા આવી ચીજ વસ્‍તુઓ કયાંથી લાવ્‍યો તેની તમામ માહિતી મેળવવાની રહશે અને આ ચોરીની ચીજવસ્‍તુઓ લઈ આવનારની માહિતી અન્‍ય ભગારીયાવાળાઓને પણ આપવાની રહેશે.આ ઉપરાંત દરેક ભગારની દુકાન કે ગોડાઉનમાં સી.સી. કેમેરા લગાવવાના રહેશે. જેથી આવો ચોરીનો માલ લઈ આવનારની ઓળખ થઈ શકે.
આમ વરસોથી ભગારિયાં અને આવા ચોર વચ્‍ચેવર્ષોથી માલ ખરીદ વેચાણના સંબધો રહેલા હોય જેનો અમુક હિસ્‍સો હપ્તા તરીકે અન્‍ય જગ્‍યાએ પણ જતો હોય આવા તમામ લોકોના પેટમાં તેલ રેડાયું છે અને ધંધો કેમ કરવો એની ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.પરંતુ પારડી પોલીસના તેવર અને બેઠકમાં સખ્‍તાઈથી આપેલ સુચનાને લઈ આવા લોકોના ઈરાદા બર આવશે એવું લાગતું નથી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલે સુરત ક્રિકેટ લીગમાં સતત બે અડધી સદી ફટકારી

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

પારડી પોલીસ લાઈન પાછળથી 10 જુગારીયાનેઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

Leave a Comment