March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

સેલવાસ ન.પા. વિસ્‍તારના 11 વેપારીઓ પાસે લાયસન્‍સ નહીં હોવાને કારણે તેઓ સામે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર ધંધો કરનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાની ટીમ દ્વારા આમલી શાકભાજી માર્કેટ, કિલવણી નાકા શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ સહિત આજુબાજુના વિસ્‍તારમાં જેઓ પાસે લાયસન્‍સ નહી હોય તેવા લોકોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમા અગિયાર વેપારીઓ પાસે લાયસન્‍સ નહી મળી આવતા તેઓની લારીઓને કબ્‍જે લેવામા આવી હતી અને વેપારીઓને તાકીદ પણ કરવામા આવી હતી કે સેલવાસના કોઈપણ વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો એના માટે પાલિકામાંથી લાયસન્‍સ લેવુફરજીયાત છે. જેથી પહેલા લાયસન્‍સ કઢાવી લે પછી જ માર્કેટમાં કે પછી બીજા વિસ્‍તારમા જ્‍યાં પાલિકાએ જગ્‍યા ફાળવી છે એ જગ્‍યા પર ધંધો કરી શકે છે.

Related posts

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment