(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: ચીખલીમાં વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ તિથલ મંદિરના કોઠારી સ્વામી વિવેક સ્વરૂપ તેમજ દાસમુનીસ્વામી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈ હરિભક્તો સ્ટાફ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજના ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પૂર્વે દર્શનભાઈ દેસાઈએ બંને સંતોનું સ્વાગત કરી 50 વર્ષથી ચાલતી આ સંસ્થા શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ક્યારે કોલેજના વિદ્યાર્થીઓ આધ્યાત્મિક ક્ષેત્રે પણ જોડાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.
કોઠારી સ્વામી દ્વારા પ્રવચનમાં પ્રમુખસ્વામી મહારાજના સ્મરણો યાદ કરી સમગ્ર વિશ્વમાં વ્યસન મુક્તિ તેમજ તેમના અનુસાસનના સિદ્ધાંતોથી લાખો લોકોએ પ્રેરણા લઈ પોતાનું જીવનસાર્થક કરેલ છે.
કોલેજના મુખ્ય દરવાજા પાસે મૂકવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ હંમેશા કોલેજના વિદ્યાર્થીઓ તા મિત્રોને આશીર્વાદ આપી સંસ્થાને ઉત્તરો ઉત્તર પ્રગતિ થશે એવા આશીર્વાદ કોઠારી સ્વામી દ્વારા આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ દ્વારા કરવામાં આવી હતી.